Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

કરાચી પોર્ટ પર પાંચ ભારતીયો સહીત નવ લોકો એક વર્ષથી જહાજમાં ફસાયા

ક્રૂ મેમ્બર્સ પાસે ત્રણ લાખ ડોલર દેણાંની રકમ બાકી :બે મ્યાંમારના અને એક એક સુડાના અને કેન્યાના નાગરિક

પાકિસ્તાનના કરાચી પોર્ટ પર પાંચ ભારતીયો સહીત માલવાહક જહાજના ચાલક દળના નવ સદસ્યો એક વર્ષથી પોતાના જહાજમાં ફસાયેલા છે. આ લોકો પર લગભગ ત્રણ લાખ ડોલરની દેણાની રકમ બાકી છે.

 ભારત સિવાય આમા બે નાગરિકો મ્યાંમાર અને એક-એક નાગરીક સૂડાન તથા કેન્યાના નાગરીક છે. પાકિસતાના ચાર નાગરીકો પણ જહાજ પર હાજર છે. આ ચારેય લોકો પાકિસ્તાનના નાગરીક હોવાને કારણે કરાચી પોર્ટ પર ઉતરવાની મંજૂરી ધરાવે છે.

  ચાલક દળના સદસ્ય મોહમ્મદ રેજોએ કહ્યુ છે કે માલવાહક જહાજ એમ. વી. મિશકી ઓગસ્ટ-2017માં કરાચી પોર્ટ પહોંચ્યું હતું અને ત્યારથી તે અહીં ઉભું છે. કારણ કે ક્રૂ મેમ્બર્સ પર ત્રણ લાખ ડોલરની દેણાની રકમ બાકી છે.

(2:31 pm IST)