Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ઓડિસાના કમાલંગા ગામના વિસ્તારમાં કરંટ લગતા સાત હાથીઓના મોત

ખેતરોમાંથી પસાર થતી વેળાએ લાગ્યો વીજકરંટ :રેલવે ટ્રેક બનાવવા વીજતાર બિછાવ્યા હતા

ઓડિશાના ઢેંકનાલ જિલ્લામાં શુક્રવારે રાત્રે કમાલંગા ગામના વિસ્તારમાં કરંટ લાગવાથી સાતહાથીઓના મોતની કમકમાટી ભરેલી ઘટના બની છે. મૃત હાથીઓ ખુલ્લા વીજતારના સંપર્કમાંઆવ્યા હતા અને તેને કારણે કરંટ લાગવાથી તેમના મોત નીપજ્યા હતા. અહેવાલો મુજબ 13 હાથીઓનું ઝુંડ છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં ફરતું હતું. શુક્રવારે હાથીઓનું જૂથ કમાલંગા ગામના ખેતરોમાંથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે હાઈવોલ્ટેજ ખુલ્લા તારના તેઓ સંપર્કમાં આવ્યા હતા. આ વીજતાર રેલવે ટ્રેક બનાવવા માટે બિછાવવામાં આવ્યા હતા.

 

(2:29 pm IST)