Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

જમ્મુ-કાશ્મીરના નૌગામમાં સિક્યુરિટી પોસ્ટ પર દ્વારા ફાયરિંગ: એએસઆઈ રાજેશ કુમાર શહીદ

પાવરગ્રીડની સુરક્ષામાં તેનાત સુરક્ષાકર્મીઓ પર હુમલો

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના નૌગામમાં પાવરગ્રીડની સુરક્ષામાં તેનાત સુરક્ષાકર્મીઓ પર હુમલો થયો છે આ હુમલામાં સીઆઈએસએફના એક ઈન્સ્પેક્ટર શહીદ થયા છે.તેઓ શ્રીનગર ખાતે પાવરગ્રીડની સુરક્ષામાં તેનાત હતા.

  જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના નૌગામમાં આવેલી પાવરગ્રીડ સ્ટેશનની સિક્યુરિટી પોસ્ટ પર આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. નૌગામના વાગુરા વિસ્તારમાં સીઆઈએસએફની સિક્યુરિટી પોસ્ટ પર થયેલા આતંકવાદીઓના ફાયરિંગમાં સીઆઈએસએફના એએસઆઈ રાજેશ કુમાર શહીદ થયા છે. ગંભીરપણે ઘવાયેલા એએસઆઈ રાજેશ કુમારને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.

શ્રીનગરના સિનિયર પોલીસ સુપ્રિટેન્ડેન્ટ ઈમ્તિયાઝ ઈસ્માઈલ પારેએ આતંકી હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યુ છે કે ફાયરિંગ કરનારાઓની શોધખોળ  હાથ ધધરાઈ છે. સુરક્ષાદળો દ્વારા ફાયરિંગનો વળતો જવાબ આપવામાં આવ્યો હતો.

(6:28 pm IST)