Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

મહિલા IAS ને વાંધાજનક મેસેજ મોકલવા યૌન શોષણનો મામલો માની શકાય નહીં:અશાકુમારી

નવી દિલ્હી :મહિલા આઈએએસને વાંધાજનક મેસેજ મોકલવા મામલે વિરોધપક્ષો પંજાબ સરકારના કેબિનેટ મંત્રી ચરણજીત સિંહ ચન્ની સામે કાર્યવાહીની માંગ કરી રહી છે.ત્યારે રાજ્ય કોંગ્રેસ પ્રભારી તેમજ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ આશા કુમારીએ મંત્રી પર લાગેલા આરોપો મામલે હાથ ખંખેરી લેવાની કોશિશ કરી છે. આશા કુમારીએ કહ્યુ કે કોઈને મેસેજ મોકલવા યૌન શોષણનો મામલો ન માની શકાય.

(1:36 pm IST)