Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના રતનપરમાં પાણીના ખાડામાં ડૂબી જવાથી દેવીપૂજક પરિવારના ૫ વ્યકિતના મોત

ભાવનગર, તા. ૨૭ : ભાવનગર જિલ્લાના  વલ્લભીપુર તાલુકાના જૂના રતનપર ગામની સીમમાં પાણીના ખાડામાં ડૂબી જવાથી દેવીપૂજક પરિવારના ૫ વ્યકિતના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જૂના રતનપર ગામના દેવીપૂજક સમાજના ૧૦ જેટલા ખેતમજૂરો બપોરના ભોજન બાદ ચાળા ગામેથી પસાર થતી કેરી નદીના ખાડામાં ન્હાવા માટે પડ્યા હતા. આ દરમિયાન ડૂબી જવાથી ૫ વ્યકિતના મોત નિપજ્યા છે. મૃતકોમાં ગીધાભાઈ લીંબાભાઈ સોલંકી (ઉ.વ.૫૫), ગોપાલભાઈ ગીધાભાઈ સોલંકી (ઉ.વ.૧૭), નિશાબેન મેહુલભાઈ સોલંકી (ઉ.વ.૧૩), મહેશભાઈ મેહુલભાઈ સોલંકી (ઉ.વ.૧૭), ભાવનાબેન ગોરધનભાઈ સોલંકી (ઉ.વ.૧૭)ના મોત નિપજ્યા છે.

આ બનાવ બનતા વલ્લભીપુર પોલીસ ટીમ તથા ફાયરબ્રિગેડની ટીમ તેમજ ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. દેવીપૂજક પરિવારના પાંચ વ્યકિતના મોતથી નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

(4:07 pm IST)