Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

કર્ણાટકમાં યેદીયુરપ્પા સરકારમાં ત્રણ નાયબ મુખ્યમંત્રી

ગોવિંદ કરજોલે, સી.એન. અશ્વથ નારાયણ અને લક્ષ્મણ સવાદીને નાયબ મુખ્યપ્રધાન બનાવાયા

બેંગલુરૂ: કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પા સરકારમાં ત્રણ નાયબ મુખ્યપ્રધાન હશે. રાજભવન તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે, રાજ્યપાલ વજૂભાઈ વાળાએ મુખ્યપ્રધાન યેદિયુરપ્પાની સલાહ પર ગોવિંદ કરજોલે, સી.એન. અશ્વથ નારાયણ અને લક્ષ્મણ સવાદીને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની જાહેરાત કરી છે.

રાજ્યપાલે અન્ય 14 પ્રધાનોને પણ વિભાગો વહેંચી દીધા છે. આ વિભાગના પ્રધાનો 21 ઓગસ્ટના રોજ શપથ લીધાને એક અઠવાડિયા બાદ કરવામાં આવ્યું છે.

(12:18 pm IST)