Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

નવી મુંબઈમાં મરાઠા અનામત બંધ વેળાએ પથ્થરમારામાં ઘાયલ થયેલા યુવકનું મૃત્યુ

મુંબઈ :મરાઠા સમાજ વતી મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા ગયા બુધવારે નવી મુંબઈમાં પાળવામાં આવેલા બંધ દરમિયાન કોપરખૈરણે ગામમાં પથ્થરમારા વખતે ઘાયલ થયેલા એક યુવકનું મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું છે. 21 વર્ષનો યુવક રોહન તોડકર કોપરખૈરણે ગામનો રહેવાસી હતો. પથ્થરમારામાં એ પણ સામેલ થયો હતો. રોહન રિલાયન્સ કંપનીમાં નોકરી કરતો હતો.

(12:36 am IST)