Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

આગરાના અનરાધાર વરસાદ :તાજમહેલમાં પાણી ઘુસ્યું :ભારે વરસાદથી છ લોકોના મોત

તાજમહેલના કમ્પાઉન્ડમાં ભારે પાણી :મૃતકોના પરિવારોને ચાર લાખની સહાય જાહેર : સાહહરમાં 800 કરોડનું નુકશાન

આગરામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે આકાશમાં વરસી રહેલા આ આફતનો ભોગ પ્રેમની નિશાની ગણાતો તાજમહેલ પણ બન્યો. વરસાદી પણી તાજમહેલની અંદર પણ ઘૂસી ગયું. તાજમહેલના કંપાઉન્ડમાં પાણી ભરેલા રહ્યા.હતા 

 આગ્રામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે છ લોકોના મોત નિપજ્યા. જેના કારણે અહી આવતા પ્રવાસીઓની ચિંતા વધી ગઇ. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાના વળતરનું એલાન કર્યું.

છેલ્લા બે દિવસમાં ભારે વરસાદના કારણે આગ્રામાં આશરે 800 કરોડ રૂપિયાનું નુકસાન થયું. જેમાં સંપત્તિને નુકસાન પહોંચ્યું અને ઘણા લોકોનો સામાન પણ ખરાબ થયો

(11:42 pm IST)