Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

GST દરમાં થયેલ ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી ન પહોંચાડતા ડોમિનોઝ પીઝા કંપની ઝપટમાં

નવી દિલ્હીઃ જીએસટી દરમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા બદલ પિઝા ચેઇન ડોમિનોઝ એન્ટી પ્રોફિટયરીંગ ઓથોરિટીના ઝપટમાં આવી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ એન્ટી-પ્રોફિટીયરીંગના ધ્યાનમાં આવ્યું હતું કે, ગયા નવેમ્બરમાં જીએસટી કાઉન્સિલે રેસ્ટોરન્ટ પર ટેક્સ રેટ ઘટાડ્યો પછી ડોમિનોઝે ગ્રાહકો સુધી લાભ પહોંચાડ્યો નહતો.

સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, ગયા નવેમ્બરમાં ટેક્સ રેટ ઘટ્યા પછી ડોમિનોઝે તેની તમામ ફુડ પ્રોડક્ટ્સ પરના ભાવ ઘટાડ્યા નહતા અને તેને બદલે પસંદગીની આઇટમ્સ પર ભાવ ઘટાટ્યો હતો.

ભારતમાં જ્યુબિલન્ટ ફુડવર્ક્સ અમેરિકન ચેઇન ડોમિનોઝની પિઝા ઇન્ક સાથેની ફ્રેન્ચાઇઝી ડીલ હેઠળ ડોમિનોઝ રેસ્ટોરાં ચલાવે છે. જ્યુબિલન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપની માને છે કે તેણે ગ્રાહકને લાભ આપ્યા છે.

ઇટીના પ્રશ્નના ઇમેલ જવાબમાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ડિરેક્ટર જનરલ એન્ટી-પ્રોફિટરીંગે નેશનલ એન્ટી-પ્રોફિટરીંગ ઓથોરિટીને સુપ્રક કરલા તપાસ અહેવાલની નકલ કંપનીને મળી છે. જોકે, જ્યુબિલન્ટ ફુડવર્ક્સ માન છે કે તેણે જીએસટી ઘટાડાનો લાભ તેના ગ્રાહકોને આપ્યો છે અને પ્રમાણે એનએએ સમક્ષ તેનો કેસ રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે જીએસટી કાઉન્સિલે 15 નવેમ્બર 2017નાં રોજ યોજાયેલી બેઠકમાં રેસ્ટોરન્ટ પરના ટેક્સ રેટ 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યા હતા. સરકારે ગ્રાહકોને જીએસટી ઘટાડાનો લાભ આપનારી કંપનીઓ સામે ગ્રાહકોને રક્ષણ કરવા એન્ટી પ્રોફિટિયરીંગ ઓથોરિટીની રચના કરી છે. જીએસટી રેટ ઘટ્યા પછી અનેક રેસ્ટોરન્ટે તેમના મેનુમાં ડિશના ભાવ ઘટાડ્યા નથી. તેમના કહેવા પ્રમાણે ટેક્સ રેટ ઘટયા પછી ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાછી ખેંચી લેવામાં આવી છે.

(6:04 pm IST)