Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

જોધપુર ખાતે લાઈફ મિશનનો ઉજવાયો ગુરૂ પૂર્ણિમા મહોત્સવ

પ.પૂ. સ્વામી રાજર્ષિમુનિજીના ચરણ સ્પર્શ કરી કરાયુ ગુરૂપૂજનઃ મોટી સંખ્યામાં ગુજરાત-રાજસ્થાન સહિત દેશભરમાંથી ઉમટયા ગુરૂભકતો

ગુરૂપૂર્ણિમાના આજે પાવન દિવસે લાઈફ મિશન દ્વારા જોધપુર (રાજસ્થાન) ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો. પ.પૂ. સ્વામિ રાજર્ષિમુનિજીના ચરણસ્પર્શ તથા ગુરૂપૂજનનો હજારો શિષ્યો, અનુયાયીઓએ લાભ લીધો હતો. સુશોભિત ભવ્ય સમિયાણામાં ગુરૂજીના આશિર્વચનનો લાભ લઈ હરીભકતોએ ધન્યતા અનુભવી હતી. દેશ-વિદેશમાંથી હજારો ગુરૂ-શિષ્યો જોધપુર ખાતે ઉમટી પડયા હતા. રાજકોટ સહિત ગુજરાતભરમાંથી હજારો ભકતો જોધપુર ગયા છે. તસ્વીરમાં વિશાળ સમિયાણામાં આજે ભાવવિભોર બનીને ગુરૂજીના દર્શન, અર્ચનનો લાભ લેવા લાઈફ મિશનના ભકતો નજરે પડે છે. ગુરૂજી પરમ પૂજ્ય સ્વામી રાજર્ષિમુનિજીએ ભકતોને સનાતન ધર્મના પ્રચાર પ્રસારમાં યોગદાન આપી ગુરૂ પરંપરાને અનુસરવા શિખ આપી હતી.

(11:25 am IST)