Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ઓગસ્ટમાં પીક પર પહોંચ્યા બાદ ખતમ થશે કોરોનાની અસર

રિચર્સના આધાર પર દેશભરમાંથી ડિસેમ્બરના અંત સુધી કોવિડ-૧૯ની અસર ખતમ થાય તેવું અનુમાન

નવી દિલ્હી,તા.૨૭: દેશમાં કોરોના વાયરસની અસર આ વર્ષના અંત સુધીમાં ખતમ થાય તેવી ધારણા છે. એચએનબી ગઢવાલ કેન્દ્રીય વિવિના એસઆરટીના ફિઝિકસ ડિપાર્ટમેન્ટે એસઆઈઆર મોડલની મદદથી એકત્ર કરવામાં આવેલા આંકડાઓનું વિશ્લેષણ કર્યા બાદ ઓગસ્ટમાં કોરોના વાયરસ પીક પર પહોંચ્યા બાદ તેની અસર ઓછી થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

એચએનબી ગઢવાલ કેન્દ્રીય વિવિના એસઆરટી પરિસર બાદ શાહીથૌલના પૂર્વ ડાયરેકટર અને ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર આરસી રમોલાએ સસેપ્ટેબલ-ઈન્ફેકટેડ-રિકવર્ડ મોડલનો ઉપયોગ કરીને કોરોના વાયરસ મહામારી પર એક શોધ કરી છે.

એસઆઈઆર મોડલની મદદથી કોરોના વાયરસનો સંક્રમણ દર, મૃત્યુના આંકડાઓ અને સજા થયેલા દર્દીઓના આંકડાઓનું અધ્યયન કર્યું છે.

શોધપત્રને રિસર્ચગેટના કોવિડ-૧૯ રિસર્ચને વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યું છે.સંશોધનમાં કોરોના વાયરસ સંક્રમણના ૩૦ જાન્યુઆરીના રોજ મળેલા પહેલા કેસથી લઈને લોકડાઉનના સમયમાં ૨૦ મે સુધીના આંકડા લેવામાં આવ્યા છે.

ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં કોરોના સંક્રમિતોની સંખ્યા પીક પર પહોંચ્યા બાદ ઓછી થવા લાગશે. સંશોધનના રિચર્સના આધાર પર દેશભરમાંથી ડિસેમ્બરના અંત સુધી કોવિડ-૧૯ ની અસર ખતમ થાય તેવું અનુમાન છે.આ અધ્યયનમાં એપણ કહેવામાં આવ્યું છે કે, આવનારા સમયમાં આંકડાઓનું સ્વરુપ પણ બદલાઈ શકે છે જેનાથી કોરોના વાયરસ ચરમ પર પહોંચવાની અને ખતમ થવાના અનુમાનિત સમયમાં પણ બદલાવ થઈ શકે છે.

(3:35 pm IST)