Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

પત્ની જીવીત ત્યારે બીજા લગ્નને ગુનાની શ્રેણીમાં લાવવાથી મુસ્લિમ મહિલાઓને રાહત આપી શકાય :સ્વરૂપાનંદ સરસ્વતી

જો પતિને જેલ મોકલાશે તો તેનાં જીવન સાથીને ભરણપોષણ માટે પૈસા ક્યાંથી મળશે.

 

મથુરા : દ્વારકા પીઠના શંકરાચાર્યએ સંસદમાં ત્રિપલ તલાક વિધેયક લાવવા અંગે સવાલ ઉઠાવતા કહ્યું કે, મુસ્લિમ મહિલાઓને રાહત આપવાની એક માત્ર રીત પહેલી પત્ની જીવીત હોય તે દરમિયાન બીજા લગ્નને ગુનાની શ્રેણીમાં લાવવાનું છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ અહીં પત્રકારોને જણાવ્યુ કે, જો પતિને જેલ મોકલવામાં આવશે, તો તેનાં જીવન સાથીને પોતે પરિવહન કરવા માટે પૈસા ક્યાંથી મળશે

  મુસ્લિમ સમુદાયમાં પહેલી પત્નીના જીવિત રહેવા દરમિયાન બીજા લગ્ન પર પ્રતિબંધ લગાવવા માટે હિંદુ સંહિતા પ્રકારે કાયદો લાવવો જોઇએ. તેમણે ભાજપ પર અયોધ્યામાં રામ મંદિર પર લોકોને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો.હતો  શંકરાચાર્યએ કહ્યું કે, શરૂઆતથી ભાજપ તે ધારણા બનાવીને લોકોને ગુમરાહ કરી રહી છે તેનું નિર્માણ તેમના દ્વારા કરવામાં આવવું જોઇએ

 

 

(11:30 pm IST)