Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ધિકકાર ભાવના સર્જતા ભાષણો અંગે એફઆઇઆર નોંધવા માગણી કરતી અરજી ઉપર હાઇકોર્ટમાં કાલે સુનાવણી

સોનીયા-રાહુલ-પ્રિયંકા વિરૂધ્ધ પણ અરજી થઇ

નવી દિલ્હીઃ પાટનગરમાં ૪-૪ દિવસ ચાલેલા હિંસક તોફાનો બાદ  ધિકકારની ભાવના સર્જતા પ્રવચનો અંગે આપ સરકારના નાયબ મુખ્યમંત્રી શ્રી મનીષ સિસોદીયા, આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન, એઆઇએમઆઇએમના નેતાએ અસદુદીન ઓવૈસી, વારીસ પઠાણ વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરવાની માગણી કરતી અરજી ઉપર દિલ્હી હાઇકોર્ટ  આવતીકાલે શુક્રવારે સુનાવણી કરશે.

હાઇકોર્ટમાં દાખલ થયેલ અરજીમાં કોંગી વડા સોનીયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને બીજાઓ સામે પણ એફઆઇઆર દાખલ કરવા માગણી કરતી અરજી થઇ છે.

દરમિયાન દિલ્હીના લેફટનન્ટ ગવર્નરે ઉત્તરપૂર્વ દિલ્હીને લગતા કાનૂન-વ્યવસ્થા સંદર્ભેના કેસો માટે સોલીસીટર જનરલ તુષાર મહેતાની નિમણૂંક કરી છે

(4:23 pm IST)