Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

જાતીય ભેદભાવ હોવા પર તામિલનાડૂના ૩૦૦૦ દલિતોએ કહ્યુ અમે ઇસ્‍લામ અપનાવીશું

તામિલનાડુમા તામિલ પુલિગલ કાચી સમુદાય એ કહ્યું છે કે પોલીસ દ્વારા દલિતો સાથે ભેદભાવને લઇ પ જાન્‍યુઆરી-ર૦ર૦ ના દલિત હિન્‍દુ ધર્મ છોડી ઇસ્‍લામ સ્‍વીકારશે.

આ ફેંસલો હાલમાં એક દિવાલ પડવાથી  ૧૭ દલિતોના  મોત પછી મકાન માલિક પર એસસી/એસટી એકટને લઇ કાર્યવાહી ન થવા પછી લેવામા આવ્‍યો.

આ ઘટના તામિલનાડુના નાદૂર ગામમાં થઇ હતી આરોપ છે કે આ દિવાલ ઉચ્‍ચ જ્ઞાતિના શખસએ બનાવડાવી હતી.

(11:41 pm IST)