Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

મોબાઇલની લતના લીધે જનજીવન વધુ પ્રભાવિતઃ દરેક ભારતીય એક વર્ષમાં ૧૮૦૦ કલાક મોબાઇલના ઉપયોગમાં વ્યસ્ત

નોઇડા: મોબાઇલની લતના લીધે સામાન્ય જનજીવન સૌથી પ્રભાવિત થઇ રહ્યું છે. જો આપણે આ રીતે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા રહીશું તો ઘણી માનસિક અને શારિરીક બિમારી અને સ્વાસ્થ્યને આમંત્રણ આપીશું. દર ભારતીય વર્ષના 1800 કલાક મોબાઇલને આપી રહ્યા છીએ, આ ખુલાસો સાઇબર મીડિયા રિસર્ચના સર્વેમાં થયો છે. સાઇબર મિડીયા રિસર્ચ (સીએમઆર)ના રિસર્ચમાં લગભગ અડધા વધુ લોકોએ સ્વિકાર કરી લીધો છે કે મોબાઇલ ફોનની આદતની ખરાબ અસર પડી શકે છે તે તેના વિના રહી શકતા નથી.

રિસર્ચમાં સામે આવ્યું છે કે પાંચમાંથી ચાર લોકોનું કહેવું છે કે ફોનની અંતિમ બાબત છે કે જ્યારે તે પથારી પર જતાં પહેલાં જુએ છે. સાથે જ ઉઠ્યા બાદ સૌથી પહેલાં ફોન જુએ છે. સાથે જ 74 ટકા લોકોનું કહેવું છે કે ઉઠ્યા બાદ 30 મિનિટમાં સૌથી પહેલાં ફોનને જુએ છે.

73 ટકા લોકોનું માનવું છે કે સ્માર્ટફોન જે પ્રકારે વધી રહ્યા છે તેનાથી તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. ચારમાંથી એક આદમીએ સ્માર્ટફોનના ઉપયોગથી શારીરિક પરેશાનીઓ વાત કરી છે. સૌથી વધુ લોકોને નબળા આઇસાઇટ, આંખોમાં પાણી આવવું, માથાનો દુખાવો અને અનિદ્વા જેવી બિમારીઓ મુશ્કેલી થાય છે.

જોકે લોકોએ એ વાતને સ્વિકારે છે કે થોડા સમયથી ફોન સ્વિચ ઓફ રાખવાથી તેમની હેલ્થને ફાયદો થશે. સર્વેમાં 3માંથી એક વ્યક્તિએ સ્વિકારી લીધું છે કે તે ફોન ચેક કર્યા વિના પોતાના મિત્રો અને પરિવારના સભ્યોમાંથી 5 મિનિટ પણ વાતચીત કરી શકતા નથી. પાંચમાંથી ત્રણ લોકોએ પણ સ્વિકાર કર્યો છે કે મોબાઇલ ફોનમાંથી અલગ લાઇવ હોવું ખૂબ જરૂરી છે. જોકે જીંદગી જીવવા માટે મોબાઇલનો ઓછો ઉપયોગ જરૂરી છે.

આ સર્વે દેશના 8 મુખ્ય શહેરોમાં લોકોની સાથે વાતચીત કરીને લીધી છે. સાથે જ ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ પ્રતિક્રિયા લેવામાં આવી છે. આ સર્વેમાં 64 ટકા પુરૂષ અને 36 ટકા મહિલાઓ સાથે વાતચીત કરવામાં આવી છે.

(5:29 pm IST)