Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

ભોપાલમાં એનએસયુઆઈના કાર્યકરોએ પ્રજ્ઞા ઠાકુરને ગદ્દાર કહ્યા : નારા લગાવ્યા

પ્રજ્ઞાજી લાલઘૂમ : પોતાને આતંકી કહેનારા સામે પગલા લેવાની ચીમકી

ભોપાલ : મધ્ય પ્રદેશમાં સાધ્વી પ્રજ્ઞાનો વિરોધ કરવામાં આવ્યો છે. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ 'આતંકવાદી વાપસ જાઓ'ના નારા લગાવ્યા. એનએસયુઆઈ કાર્યકર્તાઓએ 'પ્રજ્ઞા ઠાકુર વાપસ જાઓ' અને 'પ્રજ્ઞા ઠાકુર ગો બેક'ના સૂત્રોચ્ચાર કર્યા.

દરમિયાન સાધ્વી પ્રજ્ઞા ભોપાલમાં માખનલાલ ચતુર્વેદી વિશ્વવિદ્યાલયના એક મુદ્દાને લઇ ધરણા પર બેસેલા વિદ્યાર્થીઓને મળવા પહોંચ્યા હતા. ત્યારે ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ મામલે સાધ્વી પ્રજ્ઞાએ કડક પગલા ઉઠાવાની વાત કરી છે. તેઓએ કહ્યું કે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ સાંસદ આતંકવાદી છે તેવો શબ્દનો પ્રયોગ કર્યો. આ શબ્દ અશોભનીય છે. તેઓએ એક મહિલા સાંસદનું અપમાન કર્યું છે. આ તમામ લોકો ગદ્દાર છે. હું તેમની સામે કાર્યવાહી કરીશ.

(12:54 pm IST)