Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

મહારાષ્ટ્રમાં ભાજપની સમર્થન રેલીઃ ભોપાલમાં કોંગ્રેસની શાંતિ કુચ

સીએએ - એનઆરસી મુદ્દે આરોપ - પ્રત્યારોપ

ભોપાલઃ નાગરીક કાયદા અને એનઆરસીને લઈને સમર્થન- વિરોધ પ્રદર્શન સતત ચાલુ જ છે. ભાજપ દ્વારા સમર્થન રેલી કાઢવામાં આવી રહી છે, તો કોંગ્રેસ શાંતિ કુચ દ્વારા વિરોધ પ્રદર્શીત કરી રહી છે. બુધવારે કોંગ્રેસે ભોપાલમાં તો ભાજપે મુંબઈમાં રેલીઓ કાઢી હતી. ભોપાલમાં મુખ્યમંત્રી કમલનાથના નેતૃત્વમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને વિરોધ નોંધાવ્યો હતો. કમલનાથે સીએએ અને એનઆરસી દેશની જોડનારી સંસ્કૃતિ વિરૂધ્ધ હોવાનું જણાવેલ. જયારે ભાજપે પણ કાલે મુંબઈમાં સમર્થન રેલી યોજી લોકોને સીએએ વિશે માહિતી આપી અફવા ઉપર ધ્યાન ન આપવા અપીલ કરેલ. મુંબઈ ભાજપના સચીવ રાજેશ્વર પલાને જણાવેલ કે આ કાયદો કોઈપણ પ્રકારના નાગરીક અધિકારોને છીનવશે નહી, પણ રાષ્ટ્રને મજબુત કરશે.

(11:38 am IST)