Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

અયોધ્યામાં આજથી પાંચ દિવસીય વિશ્વ હિન્દુ સંમેલન

અયોધ્યાઃ ઓંકારનાથ મિશન દ્વારા આયોજીત પંચદિવસીય વિશ્વ સનાતન હિન્દુ સંમેલન અને યોગ સાધના શિબીરનો આજથી અયોધ્યા ખાતે પ્રારંભ થયો છે. જેમાં સામેલ થવા અનેક દેશોના હિન્દુઓના દળ અયોધ્યા પહોંચ્યા છે.

આ સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાનથી ૨૩૦ લોકોનું પ્રતિનિધી મંડળ દિલ્હી આવ્યું છે. તેમણે વિદેશ ખાતા પાસેથી અયોધ્યા જવા માટે પરવાનગી પણ માંગી છે. પાકિસ્તાન ઉપરાંત નેપાળ, બાંગ્લાદેશ અને યુરોપથી પણ હિન્દુઓ સંમલીત થવા મોટી સંખ્યામાં પહોંચ્યા છે.

(11:35 am IST)