Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

દિવાળી ભેટ! લોકડાઉનમાં સમયસર EMI ચૂકવનારાને ૩ નવેમ્બર સુધીમાં મળી જશે કેશબેક

આ ફાયદો એ કરજદારોને મળશે જેમણે નાણાકીય સંસ્થાઓ પાસેથી બે કરોડ રૂપિયા સુધીની લોન લીધી છે. આ સ્કીમનો ફાયદો ૮ સેકટરમાં મળશે જેમાં હોમ લોન, એજયુકેશન લોન, MSME લોન, કન્ઝયૂમર ડ્યૂરેબલ લોન, પર્સનલ લોન, પ્રોફેશનલ લોન, ઓટો લોન અને ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી સામેલ છે

નવી દિલ્હી, તા.૨૬: લોકડાઉનમાં લાગુ મોરેટોરિયમ દરમિયાન જે કરજદારોએ પોતાની લોનના EMI સમયસર ચૂકવ્યા હશે તેમને સરકારે કેશબેક આપવાની જાહેરાત કરી છે. સરકાર તરફથી વ્યાજ પર વ્યાજમાફી યોજનાનું નોટિફિકેશન બહાર પાડી દેવાયું છે. આ નોટિફિકેશન મુજબ કેન્દ્ર કરકાર પોતે મોરેટોરિયમ મર્યાદા સમયના વ્યાજ પર વ્યાજને ભોગવશે.

નોટિફિકેશન મુજબ તમામ બેંક અને  ફગ્જ્ઘ્સ્ન આ રકમ કરજદારોના ખાતામાં ૫ નવેમ્બર સુધીમાં ટ્રાન્સફર કરી દેશે. આ ફાયદો એ કરજદારોને મળશે જેમણે નાણાકીય સંસ્થાઓ પાસેથી બે કરોડ રૂપિયા સુધીની લોન લીધી છે. આ સ્કીમનો  ફાયદો ૮ સેકટરમાં મળશે જેમાં હોમ લોન, એજયુકેશન લોન, MSME લોન, કન્ઝયૂમર ડ્યૂરેબલ લોન, પર્સનલ લોન, પ્રોફેશનલ લોન, ઓટો લોન અને ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી સામેલ છે.

સરકારે જણાવ્યું છે કે જો કોઈ કરજદારે મોરેટોરિયમનો ફાયદો નથી ઉઠાવ્યો અને પોતાની તમામ હપ્તાની ચૂકવણી સમયસર કરી હશે તો તેમને કેશબેક મળશે. આ સ્કીમ હેઠળ કરજદારોને ૬ મહિના (૧ માર્ચથી લઈને ૩૧ ઓગસ્ટ)ના સિમ્પલ અને કમ્પાઉન્ડ ઈન્ટ્રેસ્ટમાં અંતરનો ફાયદો મળશે.

મોરેટોરિયમ નહીં લેનારા લોકોની ચ્પ્ત્માંથી વ્યાજની રકમ દ્યટાડી દેવામાં આવશે. જેનાથી EMI પણ ઘટી જશે. આ કેશબેકની રકમ દરેક કરજદારને મળશે પછી ભલે તેણે મોરેટોરિયમનો ફાયદો આશિક રીતે ઉઠાવ્યો છે, કે પૂરી રીતે ઉઠાવ્યો છે અથવા તો ઉઠાવ્યો નથી.

૧૪ ઓકટોબરના રોજ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે સામાન્ય લોકોની દિવાળી હવે તમારા હાથમાં છે. મંત્રાલયના દિશાનિર્દેશ મુજબ જે કરજદારોના લોન એકાઉન્ટની મંજૂરી મર્યાદા અથવા કુલ બાકી રકમ ૨૯ ફેબ્રુઆરી સુધીમાં બે કરોડ રૂપિયાથી વધુ ન હોય, તે તમામ કરજદારો યોજનાનો ફાયદો ઉઠાવી શકશે.

બીજી શરત એ છે કે ૨૯ ફેબ્રુઆરીના સુધીમાં આ ખાતાના સ્ટાન્ડર્ડ હોવા જરૂરી છે. સ્ટાન્ડર્ડ ખાતા એ ખાતાને કહેવાય છે જેમને ફભ્ખ્ જાહેર કરવામાં આવ્યા નથી. તેનો અર્થ એ છે કે જો તે ખાતા NPA જાહેર થઈ ગયા હશે તો વ્યાજ પર વ્યાજ માફીનો ફાયદો મળશે નહીં.

(3:34 pm IST)