Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત : નવા 9431 કેસ : વધુ 267 લોકોના મોત

કુલ કેસની સંખ્યા 3,75,799 થઇ : અત્યાર સુધીમાં 2,13,238 દર્દીઓ સ્વસ્થ થયા

મુંબઈ: દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 9431 નવા કેસ નોંધાયા છે અને 267 લોકોના મોત થયા છે. નવા કેસ સામે આવતા રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 3 લાખ 75 હજાર 799 પર પહોંચી છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આ જાણકાર આપ છે.             


સ્વાસ્થ્ય વિભાગ તરફથી આપવામાં આવેલા આંકડા મુજબ, રાજ્યના કુલ પોઝિટિવ કેસમાંથી 1 લાખ 48 હજાર 601 એક્ટિવ કેસ છે. જ્યારે સારવાર બાદ અત્યાર સુધીમાં 2 લાખ 13 હજાર 238 લોકો સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્રમાં રિકવરી રેટ 56.74 ટકા છે.

(10:48 pm IST)