Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

કોરોનાને ખતમ કરવા હનુમાન ચાલીસાના પાઠ કરો : પ્રજ્ઞા ઠાકુર

પાંચ ઓગસ્ટ સુધી પાઠ કરવા અપીલ

નવી દિલ્હી, તા. ૨૬ : દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૧૩ લાખને પર પહોંચી ગઈ છે ત્યાં  ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કોરોનાના ખાત્મા માટે હનુમાન ચાલીસના પાઠ કરવાની અપીલ કરી છે. રામ મંદિરના નિર્માણ માટે ૫ ઓગસ્ટના રોજ ભૂમિ પૂજન કરવામાં આવશે. ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે લોકોને ૫ ઓગસ્ટ સુધી દિવસમાં પાંચ વખત હનુમાન ચાલીસના પાઠ કરવાની અપીલ કરી છે. તેમના મતે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી કોરોના મહામારીનો વિનાશ થઈ જશે. પ્રજ્ઞા ઠાકુરે ટ્વિટ કરીને જણાવ્યું કે, આવો આપણે બધા સાથે મળીને કોરોના મહામારીનો ખાત્મો કરવા માટે લોકોના સારા સ્વાસ્થ્યની કામના માટે એક આધ્યાત્મિક પ્રયાસ કરીએ. આજે ૨૫થી ૫ ઓગસ્ટ સુધી દરરોજ સાંજે ૭ વાગ્યે પોત-પોતાના ઘરોમાં હનુમાન ચાલીના ૫ વખત પાઠ કરે.

(10:09 pm IST)