Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

દેશમાં કુલ રસીકરણનો આંકડો 32 કરોડને પાર : 5.55 કરોડથી વધુ લોકોને બંને ડોઝ અપાયા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસની બીજી લહેરમાં કેસો અને મૃત્યુ ઘટી રહ્યા છે, તો સામે રસીકરણ મહા અભિયાન રોજ એક નવો રેકોર્ડ સર્જે છે. દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ મહા અભિયાનની વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે મોટી માહિતી આપી હતી. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 32 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 5.55 કરોડથી વધુ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે

(12:42 am IST)