Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

સુશાંતસિંહ રાજપૂત કેસ : બોલીવુડ હસ્તીઓ વિરુદ્ધ દાખલ કરાયેલી પિટિશન મુઝફરપુર કોર્ટે ફગાવી : સલમાનખાન ,કરણ જોહર ,સંજય લીલા ભણશાલી ,એકતા કપૂર સહીત 8 વ્યક્તિઓ ઉપર સુશાંતની હત્યા કરવાના ષડયંત્રનો આરોપ હતો

મુંબઈ : સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસ અંગે બોલીવુડ હસ્તીઓ  વિરુદ્ધ દાખલ કરાયેલી પિટિશન મુઝફરપુર કોર્ટે ફગાવી દીધી છે. સલમાનખાન ,કરણ જોહર ,સંજય લીલા ભણશાલી ,એકતા કપૂર આદિત્ય ચોપડા ,ભૂષણ કુમાર ,દિનેશ વીજાન તથા સાજીદ નાડીયાવાળા સહીત 8 વ્યક્તિઓ ઉપર સુશાંતની હત્યા કરવાના ષડયંત્રનો આરોપ હતો .

આ અંગે જાણકારી આપતા એકતા કપૂરના એડવોકેટે જણાવ્યું હતું કે તેમના અસીલ ઉપર પાયા વગરનો આરોપ લગાવાયો હતો જે નામદાર કોર્ટે નામંજૂર કર્યો છે.અમને કોર્ટના ચુકાદાથી સંતોષ છે. તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(12:46 pm IST)