Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

અલ્હાબાદ હાઈકોર્ટ હવે શાહી ઈદગાહ અને કૃષ્ણ જન્મભૂમિ વિવાદના તમામ કેસની સુનાવણી કરશે

કોર્ટે તમામ સાત કેસની ફાઈલો નીચલી કોર્ટમાંથી મંગાવી:આ સાથે કેસોનું પ્રતિનિધિત્વ કરવા માટે એડિશનલ એડવોકેટ જનરલ મનીષ ગોયલ એમિકસ ક્યુરી (ન્યાયમિત્ર ) તરીકે નિયુક્ત

નવી દિલ્હી : અલ્હાબાદ હાઈકોર્ટ હવે શાહી ઈદગાહ અને કૃષ્ણ જન્મભૂમિ વિવાદના તમામ કેસની સુનાવણી કરશે. જસ્ટિસ અરવિંદ કુમાર મિશ્રાએ ભગવાન કૃષ્ણ વિરાજમાનની અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો છે. કોર્ટે તમામ સાત કેસની ફાઈલો નીચલી કોર્ટમાંથી મંગાવી છે. આ સાથે કેસોનું પ્રતિનિધિત્વ કરવા માટે એડિશનલ એડવોકેટ જનરલ મનીષ ગોયલને એમિકસ ક્યુરી (ન્યાયમિત્ર ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

(7:39 pm IST)