Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

મુલાયમસિંહ યાદવની અચાનક તબિયત લથડી :પીજીઆઈમાં દાખલ

 

લખનઉ: સમાજવાદી પાર્ટીના સંરક્ષણ મુલાયમ સિંહ યાદવની તબિયત અચાનક લથડી છે. તેમને પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યાં છે. PGIના ડોક્ટર મુલાયમ સિંહની તપાસમાં લાગ્યા છે.

   આ અગાઉ મુલાયમ સિંહ યાદવ 19મી એપ્રિલના રોજ મૈનપુરીમાં સપા અને બસપાની એક સંયુક્ત રેલીમાં માયાવતી સાથે એક જ મંચ પર જોવા મળ્યા હતાં. આ રેલીમાં માયાવતી અને મુલાયમ સિંહ યાદવ જ્યારે એક મંચ પર સાથે આવ્યાં તો મુલાયમે માયાવતીના ખુબ વખાણ પણ કર્યા હતાં. 

  મંચ પરથી મુલાયમે કહ્યું હતું કે આજે માયાવતી આવ્યાં છે, અમે તેમનું સ્વાગત કરીએ છીએ. આદર કરીએ છીએ. માયાવતીનું હંમેશા વધુ સન્માન કરજો, કારણ કે જ્યારે પણ જરૂર પડી ત્યારે તેમણે આપણો સાથ આપ્યો છે. અમને આનંદ છે કે તેઓ અમારા સમર્થન માટે આવ્યાં છે. 

(1:04 am IST)