Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ઇશ્વર ક્રાઇસ્ટનું જીવન અને તેમના સિધ્ધાંતો દુનિયાભરમાં લાખો લોકોને શકિત પ્રદાન કરે છે

નરેન્દ્રભાઇએ દેશવાસીઓને આપી ક્રિસમસની શુભેચ્છા

નવી દિલ્હી,તા.૨૫ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે લોકોને ક્રિસમસની શુભકામનાઓ આપતા કહ્યું કે ભગવાન ક્રાઇસ્ટનું જીવન અને  તેમના સિધ્ધાંતો દુનિયાભરમાં લાખો લોકોને શકિત પ્રદાન કરે છે. વડાપ્રધાને ટ્વીટ કરીને કામના કરી કે ક્રાઇસ્ટનું માર્ગદર્શન ન્યાયસંગત અને સમાવેશી સમાજના નિર્માણનો માર્ગ ચીંધતુ રહે.

તેમણે કહ્યું કે ''ક્રિસમસની શુભેચ્છાઓ ઇશ્વર ક્રાઇસ્ટનું જીવન અને તેમના સિધ્ધાંતો દુનિયાભરમાં લાખો લોકોને શકિત પ્રદાન કરે છે. બધા લોકો પ્રસન્ન અને સ્વસ્થ રહે તેવી શુભકામના કરૂ છું''

(2:57 pm IST)