Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

કર્ણાટકે નાઇટ કર્ફ્યૂનો આદેશ જ પાછો ખેંચ્યો : પંજાબમાં આજથી 27મી સુધી કર્ફ્યુમાં છૂટ આપી

પંજાબમાં રિસમસ અને શહીદી સભાને ધ્યાનમાં રાખીને ફતેહગઢ સાહિબમાં 25થી 27 ડિસેંબર સુધી કર્ફ્યૂમાં રાહત

નવી દિલ્હી;કોરોનાનો ચેપ ફરી વ્યાપક પ્રમાણમાં ન ફેલાય એવા હેતુથી નાઇટ કર્ફ્યૂ લાદનારા કેટલાંક રાજ્યોએ પીછેહટ કરી હતી.

કર્ણાટકે નાઇટ કર્ફ્યૂનો આદેશ જ પાછો ખેંચ્યો હતો જ્યારે પંજાબમાં આજથી એટલે કે પચીસમી ડિસેંબરથી 27 ડિસેંબર સુધી કર્ફ્યૂમાં છૂટ આપવાની જાહેરાત કરાઇ હતી.

પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરીન્દર સિઁઘે ટ્વીટર પર લખ્યું હતું કે ક્રિસમસ અને શહીદી સભાને ધ્યાનમાં રાખીને ફતેહગઢ સાહિબમાં 25થી 27 ડિસેંબર સુધી કર્ફ્યૂમાં રાહત આપવામાં આવશે.

કર્ણાટકમાં બીએસ યેદીયુરપ્પાની સરકારે પહેલાં આજથી પહેલી જાન્યુઆરી સુધી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરી હતી. પરંતુ ક્રિસમની પૂર્વસંધ્યાએ ગુરૂવારે સાંજે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો એટલે હવે કર્ણાટકમાં નાઇટ કર્ફ્યૂ નથી.

(1:12 pm IST)