Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

ભારતમાં સૌપ્રથમવાર " ભૂત વિદ્યા કોર્સ " : બનારસ હિન્દૂ વિશ્વ વિદ્યાલયમાં જાન્યુઆરી 2020 થી શરૂ થઇ રહેલો નવો કોર્સ : ભૂત પ્રેતના વહેમથી થતી માનસિક બીમારીઓ દૂર કરવાનો હેતુ

બનારસ : પ્રથમ દ્રષ્ટિએ નવાઈ ઉપજાવે તેવો " ભૂત વિદ્યા કોર્સ "  બનારસ હિન્દૂ વિશ્વ વિદ્યાલયમાં જાન્યુઆરી 2020 થી શરૂ થઇ રહ્યો છે.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ભૂત પ્રેતના વહેમથી પીડાતા અને માનસિક બીમારીનો ભોગ બનતા લોકોને સાચી સમજણ આપવા અષ્ટઅંગ આયુર્વેદની આઠ શાખાઓ પૈકી ગૃહ ચિકિત્સા હેઠળ પ્રોફેસર વીએસ દ્વિવેદી દ્વારા તૈયાર કરાયેલા સિલેબસના આધારે 6 મહિનાના કોર્સ દ્વારા અંધવિશ્વાસ દૂર કરવા માર્ગદર્શન અપાશે તથા કોર્સ પૂરો થયા બાદ સર્ટિફિકેટ અપાશે જેના આધારે ઉત્તીર્ણ થયેલા લોકો અંગે પ્રેક્ટિસ કરી શકશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:09 pm IST)