Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું RSSએ મારો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો : સંઘનો વળતો જવાબ કહ્યું પવારને ખુશ રાખવા આવું બોલે છે

RSSએ કહ્યું કે, આ વાત બહુ જ પહેલા કરી હતી

મુંબઈ : શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમણે RSSને જવાબ આપ્યો કે હવે ભાજપ વીશે વિચારવાનો સમય વિતી ચૂક્યો છે. શરદ પવારને અમારા પર અને અમને શરદ પવાર ભરોસો પર છીએ. ત્રણેય પક્ષ મળીને આ લડાઇ જીતીશું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ઉદ્ધવ ઠાકરેએ આ દાવો તે સમયે કર્યો, જ્યારે તેઓ લલિત હોટલમાં પોતાના ધારાસભ્યોને સંબોધિત કરી રહ્યા હતા.

ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર RSSએ વળતો જવાબ આપ્યો છે. RSSએ કહ્યું કે, માત્ર માહોલ બનાવવા આવી વાતો થઇ રહી છે. RSSએ કહ્યું કે, આ વાત બહુ જ પહેલા કરી હતી અને હવે ઉદ્ધવ શરદ પવારને ખુશ કરવા માટે આવું બોલી રહ્યા છે.

(12:00 am IST)