Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

બજારમાં હજુ ઘણા ધારાસભ્યો ભાજપમાં આવવા આતુર : અજિત પવાર સિવાય બીજા પક્ષના નેતા અમારા સંપર્કમાં : નારાયણ રાણેની સટાસટી

કેટલાક ધારાસભ્યો આવશે અને ઘણા આવવાની ફિરાકમાં છે : હોટલમાં કેટલા દિવસ બંધ રાખશે ?

મુંબઈ : મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા નારાયણ રાણેએ કહ્યું છે કે બજારમાં હજુ ઘણા ધારાસભ્યો ભાજપમાં આવવા આતુર છે,રાણેએ કહેલ કે એનસીપીના ધારાસભ્યો કહે છે કે અજિત પવાર તેમને ફસાવીને રાજભવન લઇ ગયા,પરંતુ શું તેઓ દસ બાર વર્ષના છોકરાઓ છે કે ફસાઈ જાય ? હું આ બધાને જાણું છું,અમે સાથે કામ કર્યું છે, એકાદ બે વિધાનસભ્યો પાછા જાય તેનાથી કોઈ ફરક પડતો નથી, માર્કેટમાં ઘણા ધારાસભ્યો છે,કેટલાક આવવાવાળા છે,કેટલાક આવવાની ફિરાકમાં છે,

નારાયણ રાણેએ બીબીસીને કહ્યું હતું કે માત્ર અજિત પવારન જ સંપર્કમાં અમે ન હતા,બીજા પક્ષના નેતા પણ અમારા સંપર્કમાં છે,ધારાસભ્યોને બંધ કરીને હોટલમાં રાખ્યા છે,પણ કેટલા દિવસ બંધ રાખશે? કેટલાક લોકો તો શિવસેના કે કોંગ્રેસમાં રહેશે જ નહીં,તેમણે વધુમાં કહેલ કે 30 નવેમ્બર પહેલા હું કઈ નહીં કહી શકું પણ ભાજપ 165નો આંકડો પસાર કરી દેશે

(12:00 am IST)