Gujarati News

Gujarati News

News of Friday, 25th October 2019

યથાવત ચાલુ રહેશે:મહારાષ્ટ્ર,-હરિયાણાના મુખ્યમંત્રીઓમાં કોઈ ફેરફાર થશે નહીં: ભાજપ સંસદીય બોર્ડનો નિર્ણય

હરિયાણામાં અપક્ષની મદદથી સરકાર બનાવવાનો વિશ્વાસ : મહારષ્ટ્રમાં ગઠબંધનને પૂર્ણ બહુમત

 

નવી દિલ્હી : ભાજપની સંસદીય બોર્ડમાં નિર્ણંય લેવાયો છે કે મહારાષ્ટ્ર અને હરિયાણાના મુખ્યમંત્રીમાં કોઈ ફેરફાર કરાશે નહીં,હરિયાણાના પરિણામમાં ભાજપને બહુમત નથી મળ્યો પરંતુ પાર્ટીને પૂરો વિશ્વાસ છે કે અપક્ષ ધારાસભ્યોની મદદથી રાજ્યમાં સરકાર બનાવી લેશે,જયારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપ-શિવસેના ગઠબંધનની સરકાર બનાવામાં કોઈ તકલીફ પડશે નહીં,ગઠબંધનને બહુમતી કરતા વધારે સીટ મળી છે

(10:52 pm IST)