Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

લદ્દાખમાંથી સૈનિકોના જલદી પાછળ હટવા પર ભારત-ચીનની સહમતિ બની : કમાન્ડર સ્તરની વાતચીત યોજાશે

નવી દિલ્હીઃ ભારત અને ચીને પૂર્વી લદ્દાખના સંઘર્ષ ક્ષેત્રથી સંપૂર્ણ રીતે અને જલદી સૈનિકોને પાછળ હટવા પર સહમતિ વ્યકત કરી છે. બંન્ને દેશોએ કહ્યું કે દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ વિકાસ માટે પૂર્ણ રૂપથી શાંતિ સ્થાપાય તે જરૂરી છે. વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે કેટલાક સમથાનો પરથી ચીની સૈનિકોની વાપસી હજુ થઈ નથી. તેવા સંકેત મળવા વચ્ચે બંન્ને પક્ષોમાં સેનાઓ અને વાર્તાને લઈને પણ સહમતિ બની છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે, શુક્રવારની બેઠકમાં બંન્ને પક્ષએ તે વાત પર સહમતિ  વ્યકત કરી કે ત્વરિત સંપૂર્ણ રીતે પાછળ હટવાની પ્રક્રિયાને નક્કી કરવા માટે આગળના પગલા નક્કી કરવા માટે વરિષ્ઠ સૈન્ય કમાન્ડરોની વધુ એક બેઠક થઈ શકે છે.

બંન્ને દેશોએ સરહદના મામલા પર વિચાર વિમર્શ કરવા તથા સંકલનની કારોબારી રચના હેઠળ આજે ઓનલાઈન માધ્યમથી થયેલી હાલની વાર્તા દરમિયાન ક્ષેત્રની સ્થિતિની સમીક્ષા કરી હતી. બેઠક આશરે ત્રણ કલાક ચાલી હતી.

બંન્ને દેશોની આ બેઠક તેવા સમયે થઈ, જયારે તે પ્રકારના સમાચાર આવી રહ્યાં હતા કે પાછળ હટવાની પ્રક્રિયા આગળ વધી રહી નથી. જેવી ૧૪ જુલાઈની કોર કમાન્ડર સ્તરની પાછલા રાઉન્ડની વાર્તા બાદ આશા વ્યકત કરવામાં આવી રહી હતી. આ મામલાની જાણકારી રાખનાર લોકોનું કહેવું છે કે વાર્તા દરમિયાન ભારતે ચીન પક્ષને મજબૂત સંદેશ આપ્યો કે, તેણે કોર કમાન્ડર સ્તરની ચાર રાઉન્ડની વાર્તામાં નક્કી થયેલ સૈનિકોની વાપસીની પ્રક્રિયાનું પાલન કરવું પડશે.

બેઇજિંગમાં ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંન્ને પક્ષો વચ્ચે સરહદ મુદ્દા પર ગંભીર વાતચીત થઈ. તેમણે કહ્યું કે, બંન્ને દેશો દ્વારા પોત-પોતાના સૈનિકોને પરત બોલાવવાની દિશામાં સકારાત્મક પ્રગતિ થઈ છે.

(2:42 pm IST)