Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

ચેન્નાઈઃ લોકલ ટ્રેનમા મુસાફરી વેળાએ થાંભલા સાથે અથડાતા 5 લોકોના મોત

 

ચેન્નાઈના સેંટ થોમસ રેલવે સ્ટેશન પર મંગળવારે એક લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પાંચ  મુસાફરોની થાંભલા સાથે અથડાતા મોત થયાની માહિતી મળી રહી છે. જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ મુસાફરો ટ્રેનના ફુટ બોર્ડ પર ઉભા રહીને મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે અચાનક તેઓ એક થાંભલાની અડફેટે આવી ગયા હતા. જેમાં 5 લોકોના મોત થયા છે.

(9:14 am IST)