Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ડેરા સચ્ચા સૌદાનાં પ્રમુખ ગુરમીત રામ રહીમની પેરોલની માંગણીને હરિયાણા સરકારની લીલીઝંડી

પોતાના ખેતરોમાં ખેતી કરવા માટે 42 દિવસની પેરોલની માંગણી કરી હતી

નવી દિલ્હી : ડેરા સચ્ચા સૌદાનાં પ્રમુખ ગુરમીત રામ રહીમ હાલમાં 20 વર્ષની કેદની સજા ભોગવી રહ્યા છે. જે તેમને તેમની બે શિષ્ય પર દુષ્કર્મ કરવાના મામલે મળેલી સજા છે.ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમને હરિયીણાનાં સિરસામાં પોતાના ખેતરોમાં ખેતી કરવા માટે 42 દિવસની પેરોલની માંગણી કરી હતી. જેમા હરિયાણા સરકારે તેને ગ્રીન સિગ્નલ આપી દીધુ છે.

 મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ અને જેલ મંત્રી કૃષ્ણ પવારે પણ રામ રહીમની વકાલત કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તેટલુ જ નહી અનિલ વિજએ તો ત્યા સુધી કહ્યુ કે, રામ રહીમ એક સામાન્ય માણસનાં અધિકારનાં કારણે પેરોલનો હકદાર છે.

 

, અત્રે ઉલ્લેખનીય છે કે જેલ તંત્રએ બે વર્ષનો સમય પૂરો થયા પહેલા જ પેરોલનાં આવેદનને સ્વીકાર કરી લીધો છે. જ્યારે નિયમ મુજબ બે વર્ષની સજા પૂરી થયા બાદ જ પેરોલ આપી શકાય છે.

હાલમાં રામ રહીમ હરિયાણાનાં રોહતકમાં સુનારિયા જેલમાં સજા ભોગવી રહ્યો છે. તેની પેરોલ અરજી પર પોલીસ અધિક્ષક તરફથી જાહેર કરેલ પત્રમાં કહેવામાં આવ્યુ છે કે, ગુરમીત રામ રહીમ સિંહ જેલમાં બંધ છે. સીબીઆઈ કોર્ટ દ્વારા રામ રહીમની વિરુદ્ધ 12 ડિસેમ્બર 2002નાં રોજ દાખલ કેસમાં સજા સંભળાવવામાં આવી છે અને દંડ પણ કરવામાં આવ્યો છે. તેને બે કેસમાં 10-10 વર્ષની જેલની સજા ભોગવવાની છે

(1:07 pm IST)