Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

દેશમાં કોરોના ધીમો પડ્યો : મૃત્યુઆંક ચિંતાજનક : નવા 2,08 લાખથી વધુ નોંધાયા : એક્ટિવ કેસમાં મોટો ઘટાડો : વધુ 2.95 લાખથી દર્દીઓ રિકવર થયા : વધુ 4159 લોકોના મોત

સૌથી વધુ તામિલનાડુમાં 34.285 કેસ, કેરળમાં 29.803 કેસ,મહારાષ્ટ્રમાં 24.136 કેસ, કર્ણાટકમાં 22.758 કેસ, પશ્ચિમ બંગાળમાં 17.005 કેસ, આંધ્રપ્રદેશમાં 15,284 કેસ, ઓરિસ્સામાં 10.939 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા ચાર દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  

દેશમાં કોરોનાનાં 2.08,714 કેસ નોંધાયા છે. જ્યારે 2.95.085 દર્દીઓ રિકવર થયા છે  આ સાથે દેશમાં હવે દેશમાં 2,43.43.299 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 2.08.714 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 4159 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,11.421 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 2.08.714 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,71.56.382 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 24,90,876એ  પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 2.95.085 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ  2,43.43.299 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ તામિલનાડુમાં 34.285 કેસ, કેરળમાં 29.803 કેસ,મહારાષ્ટ્રમાં 24.136 કેસ, કર્ણાટકમાં 22.758 કેસ, પશ્ચિમ બંગાળમાં 17.005 કેસ, આંધ્રપ્રદેશમાં 15,284 કેસ, ઓરિસ્સામાં 10.939 કેસ નોંધાયા છે

(1:00 am IST)