Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

"યાસ” વાવાઝોડાની અસર ઓડિશાના કાંઠાના જિલ્લાઓમાં શરૂ: તોફાની પવન સાથે મુશળધાર વરસાદ ચાલુ

“યાસ” વાવાઝોડાની અસરના પગલે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યાં છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે.
ઓડિશા ઉપરાંત “યાસ” વાવાઝોડાની અસર છત્તીસગઢના જસપુર જિલ્લામાં પણ જોવા મળી રહી છે.
હાલ “યાસ” વાવાઝોડું પારાદીપથી ૩૬૦ કિલોમીટર દૂર છે, જ્યારે બાલેશ્વરથી ૪૬૦ કિલોમીટરના અંતરેથી આગળ ધપી રહ્યું છે.
છેલ્લા ૬ કલાકથી વાવાઝોડા “યાસ”ની ગતિ ૯ કિલોમીટર પ્રતિકલાકની છે. કાલે બુધવારે બપોરે તે બાલેશ્વરને પાર કરી શકે છે. હવામાન વિભાગે, પારાદીપથી સાગર દ્વીપની વચ્ચે બાલેશ્વર નજીક વાવાઝોડાના લેન્ડફૉલ કરવાની સંભાવના વ્યક્ત કરી છે.
વાવાઝોડાની અસરના પગલે ઓડિશાના કાંઠા વિસ્તારોમાં મૂશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે.
આ વાવાઝોડાના કારણે ઓડિશાના કાંઠા વિસ્તારના જિલ્લાને સૌથી વધુ અસર થવાની સંભાવના છે. જેમાં બાલેશ્વર, ભદ્રક, કેન્દ્રપાડા, જગતસિંહપુર અને મયૂરભંજમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

(8:37 pm IST)