Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

વિડીયો : કોરોના બાદ થતા મ્યુકોરમાયકોસીસ ફંગલ ઇન્ફેક્શન વિશે અકિલાના વાંચકોને માહિતી આપતા ENT સર્જન ડો હિમાંશુ ઠક્કર

રાજકોટ : હાલમાં જયારે કોરોના નો કાળો કહેર ચાલુ છે તેવામાં નાક અને સાઇનસ માં થતું ફંગલ ઇન્ફેક્શન મ્યુકોરમાયકસીસ ના કેસોમાં ખૂબજ વધારો જોવા મળીયો છે. આ એક ગંભીર રોગ છે જેમાં ખાસ કરીને કોરોના ના દર્દીઓને જયારે સ્ટીરોઈડ આપવા પડે અને જો દર્દી ને ડાયાબિટીસ હોય તેવા સંજોગોમાં આ રોગ થતો હોય છે.દર્દી ને તાવ અવવો, નાક બંધ થઈ જવું, નાકમાંથી કાળું પ્રવાહી નીકળવું માથું દુખવું. આંખ અને મોંઢા ના ભાગ ઉપર સોજો આવવો. આંખ ની આસપાસ અને મોઢા ની ચામડી કાળી પડવી.કફ થવો.જયારે ફંગલ ઇન્ફેક્શન મગજ સુધી પહોંચે છે તયારે આંચકી આવવી પેરાલિસિસનો નો એટેક આવવો વિ .અને જયારે ફેફસામાં ફંગલ ઇન્ફેક્શન પહોંચે છે તયારે ન્યૂમોનિયા થવો શ્વાસ લેવામાં તકલીફ પડવી વિ. આ અત્યંત જોખમી ફંગલ ઇન્ફેક્શન છે.

આંખોમાં જયારે ફંગલ ઇન્ફેકશન પ્રવેશે છે તયારે અંધાપો આવી શકે છે. અને 50 થી 90 %  કેસોમાં દર્દી નું મૃત્યુ થાય છે.નિદાન માટે દરદી ના નાક માંથી જે પ્રવાહી નીકળે છે તેનું ફંગળ કલ્ચર કરવામાં આવે છે અને મગજ ને નાક તથા સાઇનસ અને ફેફસા નો સીટી સ્કેન કરવા માં આવે છે.સારવાર માં તાત્કાલિક ધોરણે નાક અને સાયનસ નું દૂરબિન વડે ઓપરેશન કરી debridement કરી ફંગસ દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ બાયોપ્સી તપાસ કરવામાં આવે છે. 

દર્દી ને એન્ટી ફંગલ દવાઓ જેવી કે inj amphotericin B.inj isavuconazole.inj posaconazole .વિ લાંબો સમય આપવા પડે છે.જે દર્દીઓને કોરોના થયેલ હોય અને તેને ડાયાબિટીસ હોય અને જેની રોગપ્રતિકારક શક્તિ ખુબજ ઓછી છે તેવા દર્દીઓને આ ફંગલ ઇન્ફેકશન થવા ની શક્યતા ખુજ જ વધારે હોય છે. જેથી ખુબજ ધ્યાન રાખવું અને ઉપરોક્ત ચિન્હો જણાય તો તાત્કાલિક નિષ્ણાત ડોક્ટર ની સલાહ લેવી. કારણ કે આ ફંગલ ઇન્ફેકશન ખુબજ ઝડપી આખા શરીરમાં ફેલાઈ શકે છે અને જો તાત્કાલિક સારવાર કરવા માં ના આવે તો દર્દી નું મૃત્યુ થઈ શકે છે. જેથી ખુબજ સાવચેતી રાખવી જરૂરી છે. 

ઠક્કર હોસ્પિટલમાં આધુનિક સાધનો વડે કાન નાક તથા ગળા ના રોગો ની તમામ સારવાર અને ઓપરેશન ની સુવિધા ઉપલબ્ધ છે. હોસ્પિટલ નું સરનામું ડો ઠક્કર ની દાંત તથા કાન નાક ગળા ની હોસ્પિટલ 202 લાઇફ લાઈન બિલ્ડીંગ વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ. મો. ૭૯૯૦૧૫૩૭૯૩.

(7:12 pm IST)