Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મોદી સરકાર ૭ વર્ષ પુરા કરી રહી છે : જાણો લેખા-જોખા

શું પીએમ લોકોની અપેક્ષામાં ખરા ઉતર્યા ? અગાઉની સરકારો કરતા પ્રજાને શું ફાયદો થયો ? : ૭ વર્ષના શાસનમાં સરકારે કઇ કઇ સિધ્‍ધીઓ મેળવી ? ખુબીઓ સાથે કઇ કઇ ખામીઓ જોવા મળી ?

(જીતેન્‍દ્ર રૂપારેલિયા દ્વારા)  વાપી :

પ્રારબ્‍ધને અહીંયા ગાંઠે કોણ ?

હું પડકાર ઝીલનારો માણસ છું,

હું તેજ ઉછીનું લઉં નહિ,

હું જાતે બળતું ફાનસ છું

ઝળાંહળાંનો મોહતાજ નથી,

મને મારૂ અજવાળું પૂરતું છે .....

ભારતના રાજકીય ઇતિહાસમાં સૌથી પ્રભાવી નેતા તરીકે ઉભરી આવેલા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર ભાઈ મોદી આવતી કાલે એટલે કે ૨૬મી મેં ૨૦૨૧ના રોજ વડાપ્રધાન  તરીકે ૭ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ વેળાએ આવો આપણે નરેન્‍દ્રભાઈના શાશનના આ સાત વર્ષની  સંક્ષિપ્તમાં એક ઝલક જોઈએ.

૨૬ મી મેં ૨૦૧૪ સાંજે ૬.૧૨ કલાકે નરેન્‍દ્ર દામોદરદાસ મોદીએ   દેશ -વિદેશના  દિગ્‍ગ્‍જ્જો, ઔદ્યોગિક હસ્‍તીઓ ,બોલિવૂડ સ્‍ટાર્સ સહીતના માધાંતાઓની ઉપસ્‍થિતિ માં દેશના ૧૫માં વડાપ્રધાન  તરીકે શપથ લીધા. પ્રજાજનોની અનેક અપેક્ષાઓ ને નજર સામે રાખી કાર્યભાર હાથમાં લીધો એક પછી એક નિર્ણયો લેતા ગયા અને એને અમલમાં મૂકતા  ગયા  ૮ મી નવેમ્‍બર  ૨૦૧૬ના રોજ કરીનોટબંધી, ૧ જુલાઈ ૨૦૧૭ના રોજથી જીએસટી અમલી કર્યું. કેટલાયને આ નિર્ણયોના ગમ્‍યા માત્ર ભારત જ નહિ વિશ્વભરમાં ઉપરોક્‍ત નિર્ણયો બાબતે ચકચાર મચી પરંતુ આ તો મોદી.... અર્થતંત્રની ગાડી પાટે ચઢાવવા કઠોર નિર્ણયો અમલમાં મુકતા ગયા જોતજોતામાં પાંચ વર્ષ પૂર્ણ થયા. આ પાંચ વર્ષમાં મોટાભાગની રાજકીય પાર્ટીઓને નિસ્‍તેજ બનાવવામાં નરેન્‍દ્રભાઈએ કોઈ કસરના છોડી.

૨૦૧૯માં ફરી લોકસભાની ચૂંટણી આવી હવે આ વખતે તો ભાજપ નહિ જ આવે એવો વિપક્ષ સહીત કેટલાય ને વિશ્વાશ હતો પરંતુ પ્રજાનીનાડ  પારખી ગયેલ નરેન્‍દ્રભાઈએ આ ચૂંટણી લડી એટલુંજ નહિ આ વેળાએ તો ભારતીય જનતા પાર્ટીને ૩૦૩ સીટ મળી સાથી  પક્ષો તો અલગ...

   ૩૦મી મેં ૨૦૧૯ના રોજ નરેન્‍દ્ર ભાઈએ ૨જી ટર્મ માટે વડાપ્રધાન તરીકે લીધા શપથ   અને જાણે શરૂ કરી T-20... ટ્રિપલ તલાક, ૩૭૦ની કલમ નાબુદી, સિટિઝનશીપ અમેન્‍ડમેન્‍ટ એક્‍ટ સહીતના નિર્ણયો લઈ વિપક્ષ સહીત રાજકીય પાર્ટીઓને સ્‍તબ્‍ધ કરી દીધી  પરંતુ અહીં કુદરતે કરી કસોટી ભારત સહીત વિશ્વના અનેક દેશ કોરોનાની ઝપટે ... હાહાકાર.. વિશ્વના અનેક દેશોમાં હજારો લોકોના મોત  આ વેળાએ પણ નરેન્‍દ્રભાઈએ ખુબ જ ધીરજ અને કુનેહથી કામ લીધું લોકડાઉન જેવો કડક નિર્ણય લઇ ભારતના પ્રજાજનો ને મોતના મુખમાંથી બચાવ્‍યા તો બીજી બાજુ કોરોનાની વેક્‍સિન માટે પોતાની તમામ તાકાત લગાડી અને સતત પ્રજાજનોના સંપર્કમાં રહ્યા મોદીની આ છબીની વિશ્વભરેનોંધ લીધી અને વિશ્વમાં એક મજબૂત નેતા તરીકે ઉભરી આવ્‍યા કોરોનાનો કહેર થોડો શમ્‍યો  ત્‍યારે ક્રમશઃ દેશને અનલોક કરતા ગયા  જોતજોતામાં બીજી ટર્મનું પણ  એક વર્ષ પૂર્ણ થયું.  ૩૦મી મેં ૨૦૨૦થી શરૂ થયું શાશન કાળનું ૭ મુ વર્ષ...હજુ કોરોનાનો કહેર તો હતો જ તો બીજી બાજુ  વિકરાળ  પ્રશ્ન હતો અર્થતંત્રનો આ વેળાએ મોદીજીએ ૨૦,૦૦૦ હજાર કરોડનો રાહત પટારો ખોલ્‍યો અને અર્થતંત્રની ગાડીને પાટે ચઢાવવા કર્યો પ્રયત્‍ન 

તો બીજી બાજુ કોરોના ને હરાવવા વેક્‍સીન માટે આકાશ પાતાળ એક કર્યા આખરે આપણા વૈજ્ઞાનિકોને એમાં સફળતા મળી અનેક ટ્રાયલઓ બાદ એને મંજૂરી પણ મળી ગઈ ...વિશ્વના ૧૯૫ દેશો પૈકી માત્ર ૫થી ૭ દેશો જ વેક્‍સીન શોધી શકી જેમાંથી એક હતું ભારત..જે ખરેખર ગૌરવની બાબત ગણી શકાય વડાપ્રધાન શ્રી મોદી એ ૧૬ મી જાન્‍યુઆરી ૨૦૨૧ના રોજથી વેક્‍સિનેશનનો પ્રારંભ પણ કરાવી દીધો સૌ પ્રથમ હેલ્‍થ વર્કસઓને ત્‍યાર બાદ ૪૫ વર્ષથી ઉપરની વ્‍યક્‍તિઓને અને તેના પછી ૧૮-૪૪ વર્ષની વયની વ્‍યક્‍તિઓ માટે વેક્‍સિનેશન શરૂ કરાવ્‍યું

દેશમાં વેક્‍સીન પ્રત્‍યેના શક-શંકાઓ દૂર કરવા ૧ માર્ચના રોજ દિલ્‍હીના એઇમ્‍સ ખાતે મોદીજીએ વેક્‍સીનનો પ્રથમ ડોઝ લીધો અને એક સંદેશ આપ્‍યો કે વેક્‍સીન સંપૂર્ણ સલામત છે  આવા નેતામાં કોણ ભરોસોના મૂકે..?

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈએ માત્ર પોતાના દેશનો વિચારના કરી નિસ્‍વાર્થભાવે  કોરોનાથી ત્રસ્‍ત  વિશ્વમાં અનેક દેશોમાં વેક્‍સીનના હજારો ડોઝ મોકલાવી અનેક જિંદગી બચાવી આવા કપરા સમય એ મળેલી મદદથી વિશ્વના નેતાઓ મોદી જીથી ગદગદ થઇ ગયા હતા.

વેક્‍સિનેશનનો સારું પરિણામ પણ જોવા મળ્‍યું પરંતુ આ દરમ્‍યાન કોરોનાની અચાનક આવેલ બીજી લહેરનો સામનો કરવામાં પ્રારંભમાં સરકાર સહીત સમગ્ર તંત્ર  ગોથું ખાઈ બેઠા... દેશભરમાં કોરોના એ હાહાકાર મચાવ્‍યો આ વેળાએ પણ નરેન્‍દ્રભાઈના અન્‍ય દેશો જોડેના સારા સંબંધો ને પગલે ઘણી રાહત મળી અને સરકારે ગણતરીના દિવસોમાં જ ફરી કોરોનાને કાબુ કરવામાં મહદ અંશે સફળતા મેળવી હાલમાં દેશમાં કેટલાક રાજયોમાં લોકડાઉન છે છતાં કોરોનાના કેસોમાં ખુબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે

સરકારના અથાગ પ્રયત્‍નો અને ત્‍વરિત નિર્ણયોને પગલે સ્‍થિતી કાબુમાં જણાય છે અનેક કસોટીઓ, અગ્નિપરીક્ષાઓ પાસ કરી નરેન્‍દ્રભાઈ સતત આગળ ધપ્‍યે જાય છે.

આજે પણ ભારતની કરોડો જનતાને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે મોદી જીના નેતૃત્‍વમાં ભારત આત્‍મનિર્ભર બની ચોક્કસ  જગત ગુરૂ બનશે.

(12:08 pm IST)