Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

૯૦% રિઝલ્ટનો કરાયો દાવો

હવે માત્ર એક ફૂંક મારતા જ ખબર પડી જશે કે કોરોના છે કે નહીં !

સિંગાપુરના એક વૈજ્ઞાનિકો અનોખું કોવિડ બ્રેથ ટેસ્ટ મશીન વિકસાવ્યું

નવી દિલ્હી,તો ૨૫: : કોરોના કાળમાં વાયરસનું સંક્રમણ જે ગતિએ વધી રહ્યું છે તેને અટકાવવા અને વાયરસની ઓળખ કરવા માટે દુનિયાભરમાં અલગ અલગ લેવલ પર રિસર્ચ થઈ રહ્યાં છે. આ દરમિયાન સિંગાપુરના એક વૈજ્ઞાનિકો અનોખું કોવિડ બ્રેથ ટેસ્ટ મશીન વિકસાવ્યું છે. આ મશીનના શોધક ડો. જિયા ઝૂનાનનો દાવો છેકે, વ્યકિતએ માત્ર એક ફૂંક મારવાની હોય છે, તેનો ટેસ્ટ થઈ જાય છે અને તેમણે વિકસાવેલાં ટેસ્ટીંગ મશીનમાં ૯૦ ટકા સુધી સચોટ પરિણામ મળી જાય છે.

ભારતમાં કોરોનાના કેસ ખુબ ઝડપથી વધી રહ્યાં છે. પહેલી લહેર કરતા બીજી લહેર ખુબ જ દ્યાતક સાબિત થઈ રહી છે. જેને કારણે ટેસ્ટીંગનું પ્રમાણ પણ વધ્યું છે. જોકે, સૌથી વધારે સમય કોરોનાના ટેસ્ટીંગમાં જ લાગી રહ્યો છે. આ સ્થિતિને વચ્ચે એક સારા સમાચાર આવ્યાં છે. સિંગારપોરના એક વૈજ્ઞાનિકે એવો દાવો કર્યો છેકે, તેમણે એવું મશીન વિકસાવ્યું છેકે, જેમાં માત્ર એક ફૂંક મારતા જ ખબર પડી જાય છેકે, વ્યકિતને કોરોના છેકે, નહીં. અને તેમના મતે આ મશીન ૯૦ ટકા સુધી સચોટ પરિણામ આપે છે. ઉલ્લેખનીય છેકે, RTPCR ટેસ્ટ ભારતમાં ૨૪ કલાકથી લઈ ૭૨ કલાક સુધી લેતા હતા.

કઈ રીતે લેવામાં આવે છે સેમ્પલ?

બ્રેથ સેમ્પલરમાં લાગેલુ માઉથ પીસ ડિસ્પોઝેબલ છે અને તે એક જ તરફ કામ કરે છે. એક વાર ફૂંક મારી દીધા બાદ તે હવા પાછી નથી આવતી કે ન તો એનામાંથી લાળ પાછી આવે છે કેમકે મશીનમાં વન વે વાલ્વ અને લાળ ટ્રેપ લાગેલું હોય છે.

આના  પર રિસર્ચ કરનારી નેશનલ યૂનિ.નો દાવો છે કે ૧૮૦ દર્દીઓની તપાસ આવા નવા ટેસ્ટથી કરવામાં આવી અને ૯૦% સુધી તેનું પરિણામ સટીક રહ્યું છે. ખાલી બ્રેથ એનેલાઈઝરમાં કોરોનાનાં દર્દીએ ફૂંક મારવાની રહે છે. જેમણે આ શોધ કરી છે તેમણે જણાવ્યું કે દર્દી હવા બ્રેથ સેમ્પલરમાં નાખે છે ત્યારે તે માસ સ્પેકટ્રોમીટરમાં ભેગી થાય છે. આમાં હવામાં રહેલા કણનું એનાલિસિસ ૧ મિનિટમાં કરી નાખવામાં આવે છે.

ડો.જિયા ઝૂનાન કે જેમણે આ વિકસિત કર્યું છે તે અને બ્રીથોનિકસનાં ઘ્ચ્બ્હ્ય્ જણાવ્યું કે બિમારીઓનાં પ્રમાણમાં શ્વાસમાં પણ અલગ અલગ પ્રકારનાં ફેરફાર આવતા રહે છે. એટલે જયારે આ ટેસ્ટ કરવામાં આવે છે તેમાં જ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં જે ફેરફાર આવે છે તેનાથી તરત જાણી શકાય છે.

જોકે, ભારતમાં હજું આવા કોઈપણ પ્રકારના મશીનની સત્ત્।ાવાર રીતે કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી. જયાં સુધી ભારત સરકાર આવા કોઈપણ ટેસ્ટીંગ મશીનની મંજૂરી ન આપે ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ત્યાં સુધી તે જોખમી સાબિત થઈ શકે છે.

(10:25 am IST)