Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મહારાષ્ટ્રમા કોરોનાના નવા કેસમાં મોટો ઘટાડો : છેલ્લા 24 કલાકમાં 22,122 કેસ નોંધાયા : વધુ 361 લોકોના મોત

42,320 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા : રાજ્યમાં હજુ 3,27.580 એક્ટિવ કેસો

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે. કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યા છે.અને રિકવરીના કેસો વધી રહ્યા છે અને સાથે કોરોનાથી મોતના આંકડા પણ ઘટી રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસો 22,122 નોંધાયા છે. જયારે 361 લોકોનાં મોત થયાં છે.

કોરોના સંક્રમણના કેસોમાં છેલ્લા 20 દિવસથી ઘટાડો થઇ રહ્યો છે અને કોરોના રિકવરીના કેસો વધી રહ્યા છે. રાજ્યમાં લોકડાઉનના લીધે કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસો 22,122 નોંધાયા છે અને  361 લોકોનાં મોત થઇ ગયાં છે. રાજ્યમાં એક્ટિવ કેસો 3,27,580 છે અને ટોટલ રિકવરીના કેસો 51,82,592 છે અને રાજ્યમાં કુલ મોતનો આંકડો 89,212 છે.

(11:28 pm IST)