Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

વેચાણમાં ઘટાડો અને ઘટતી માંગના કારણે ફ્રીઝની કંપની વ્‍હલપુર્લએ ૧ હજાર કર્મચારીઓને રજા આપી દીધી

નવી દિલ્‍હી, તા. ૨૫ : વ્‍હલપુર્લએ ખર્ચ ઘટાડવા માટે વૈશ્વિક સ્‍તરે ૧ હજાર કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કર્યુ છે : અમેરીકામાં સ્‍થાનિક વેચાણમાં ઘટાડો અને ઘટતી માંગને કારણે કંપનીએ છટણી કરવાનો નિર્ણય કર્યો હતો. ૩૦ જાન્‍યુઆરી ૨૦૨૪ના રોજ ચીફ ઓફીસર જીમ પીટર્સે કહ્યુ હતું કે કંપનીના બિઝનેસના કેટલાક ભાગોમાં ઓછા લોકો હશે. તેમણે કહ્યુ કે કંપનીએ તેના કર્મચારીઓની સંખ્‍યાને યોગ્‍ય રીતે ગોઠવવી પડશે. અહેવાલ મુજબ ૨૦૨૩ સુધીમાં વ્‍હલપુર્લ પાસે કુલ વૈશ્વિક કર્મચારીઓની સંખ્‍યા ૫૯૦૦૦ હતી આ છટણી બાદ ખર્ચમાં ૪૦૦ મિલિયન ડોલરનો ઘટાડો થવાની ધારણા છે

(6:18 pm IST)