Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

૪ વર્ષની કામગીરી શૂન્‍ય : લોકપાલ માત્ર શોભાના ગાંઠિયા સમાન

ભ્રષ્‍ટાચાર સામે આ તે કેવો જંગ ? હજુ સુધી એકપણ વ્‍યકિત સામે કેસ નથી ચાલ્‍યો : સંસદીય સમિતિએ પોલ ખોલી : લોકપાલનું કામકાજ સંતોષજનક નથી : લોકપાલને વાસ્‍તવિક ફરિયાદોને ધ્‍યાને લેવા સલાહ

નવી દિલ્‍હી તા. ૨૪ : લોકપાલને લઈને આ દેશમાં લાંબા સમય સુધી આંદોલન ચાલ્‍યું હતું, વિવાદો અને ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ લોકપાલની રચના જે દાવાઓ સાથે કરવામાં આવી હતી તે પોકળ લાગે છે. છેલ્લા ચાર વર્ષમાં લોકપાલે ભ્રષ્ટાચારના એક પણ આરોપી સામે કાર્યવાહી કરી નથી. સંસદીય સમિતિના રિપોર્ટમાં આ વાત સામે આવી છે તાજેતરમાં સંસદમાં રજૂ કરાયેલા એક અહેવાલમાં કહેવામાં આવ્‍યું છે કે લોકપાલ નિર્ધારિત ફોર્મેટમાં ન હોવાના આધારે ઘણી ફરિયાદોનો નિકાલ કરી રહ્યું છે. રિપોર્ટમાં લોકપાલની કાર્યશૈલી અને ખાલી પડેલી જગ્‍યાઓ પર પણ સવાલો ઉઠાવવામાં આવ્‍યા છે.

દેશના પ્રથમ લોકપાલ અને લોકપાલ સમિતિની નિયુક્‍તિના ચાર વર્ષ બાદ પણ આ સંસ્‍થાએ ભ્રષ્ટાચારના આરોપી એક પણ વ્‍યક્‍તિ પર કેસ ચાલી રહ્યો નથી.ᅠ પ્રદર્શનને સંતોષજનક ગણાવ્‍યું નથી. હાલમાં સંસદમાં રજૂ આ રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે લોકપાલ દ્વારા અનેક ફરિયાદોનેᅠઉકેલવાનું એ આધારે કરવામાં આવી રહ્યું છે કે તે નિર્ધારિત પ્રારૂપમાં નથી. સમિતિએ લોકપાલ ગયા વર્ષે મે થી ખાલી પડેલા લોકપાલના અધ્‍યક્ષનુંᅠપદ ખાલી રહેવા પાર સવાલ ઉઠાવ્‍યા.ᅠ

સમિતિએ કહ્યું કે લોકપાલ અને લોકાયુક્‍તᅠ અધિનિયમ, ૨૦૧૩ની ધારા પાંચમા કહેવામાં આવ્‍યું છે કે અધ્‍યક્ષ અથવા સભ્‍યનો કાર્યકાળ સમાપ્ત થવાથીᅠઓછા માં ઓછા ત્રણ મહિના પહેલા નવા અધ્‍યક્ષ અને સભ્‍યોની નિયુક્‍તિ માટે રાષ્ટ્રપતિ દરેક જરૂરીᅠપગલાં ભરશે. સમિતિએ નોટ કર્યું છે કે ન્‍યાયમૂર્તિ પિનાકી ચન્‍દ્રᅠઘોષે મે ૨૦૨૨માં ૭૦ વર્ષની ઉંમર થવા પર લોકપાલના અધ્‍યક્ષનું પદ છોડી દીધું હતું અને ન્‍યાયમૂર્તિ પ્રદીપ કુમાર મોહંતી લોકપાલના અધ્‍યક્ષના રૂપે કામ કરી રહ્યું છે.

આ રિપોર્ટ કર્મચારી, જાહેર ફરિયાદ, કાયદો અને ન્‍યાય વિભાગ સંબંધિત સંસદીય સ્‍થાયી સમિતિનો અહેવાલ છે. અહેવાલમાં જણાવાયું છે કે, ‘લોકપાલે સમિતિને જાણ કરી છે કે તેણે આજ સુધી ભ્રષ્ટાચારના આરોપી એક પણ વ્‍યક્‍તિ સામે કાર્યવાહી કરી નથી. સમિતિએ જણાવ્‍યું કે તે અભિપ્રાય ધરાવે છે કે લોકપાલની રચના જાહેર જીવનમાં ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે કરવામાં આવી હતી. કાયદાકીય અને સંસ્‍થાકીય તંત્રને મજબૂત કરવા માટે રચના કરવામાં આવી હતી. પરંતુ લોકપાલની કામગીરી સંતોષકારક જણાતી નથી.' રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે લોકપાલે નિવારકને બદલે સુવિધા આપનાર તરીકે કામ કરવું જોઈએ. સમિતિએ ભલામણ કરી હતી કે લોકપાલે માત્ર ટેકનિકલ આધારો પર સાચી ફરિયાદોને ફગાવી ન જોઈએ. અહેવાલમાં જણાવાયું છે કે- ‘એ સમયે જયારે ભારત G-20 ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથનું નેતૃત્‍વ કરી રહ્યું છે, ત્‍યારે લોકપાલે આ પ્રસંગે ઉભા થવું જોઈએ અને દેશમાં ભ્રષ્ટાચાર વિરોધી લેન્‍ડસ્‍કેપને મજબૂત કરવા માટે શક્‍ય તેટલું બધું કરવું જોઈએ.'

(12:00 am IST)