Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

પ્રધાનમંત્રી મોદીએ રાજકોટની વિખ્યાત જ્યોતિ CNC ના ચેરમેન શ્રી પરાક્રમસિંહ જાડેજાને પોતાની એન્જિનિયરિંગ ફેક્ટ્રીને તુરતમાંજ 'વેન્ટિલેટર' ઉત્પન્ન કરવા ફેરબદલ કરવા બદલ ફોન પર અભિનંદન પાઠવ્યા અને શક્ય તેટલા વધુ વેન્ટિલેટર દેશ માટે બનાવવા જણાવ્યુ

રાજકોટ : આજે પ્રધાનમંત્રી મોદીએ રાજકોટ સ્થિત જ્યોતિ CNC ના ચેરમેન શ્રી પરાક્રમસિંહ જાડેજા સાથે ટેલોફોનિક વાત કરી હતી અને તેમની એન્જિનિયરિંગ ફેક્ટ્રીને તુરતમાંજ 'વેન્ટિલેટર' ઉત્પન્ન કરવા ફેરબદલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાને કોરોના રોગચાળાના પડકાર ને પહોચી વડવા શક્ય તેટલા વધુ વેન્ટિલેટર બનાવવાનું કહ્યું હતું અને દેશની જરૂરિયાતને પહોંચી વળવા જણાવ્યુ હતું તેમ ન્યૂઝફર્સ્ટ ના હવાલાથી જાણવા મળે છે.

(9:57 pm IST)