Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

પદ્મ એવોર્ડ જાહેર: બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ અને શાહબુદ્દીન રાઠોડ સહીત સાત ગુજરાતીઓને પદ્મશ્રી એવોર્ડ જાહેર થયા

આજે દેશભરના ૧૪૧ મહાનુભાવોને પદ્મ એવોર્ડ અપાય છે, ત્યારે ગુજરાતના આઠ મહાનુભાવોને પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ એનાયત થયાનું જાહેર થયું છે.

જેમાં ગુજરાતના શ્રી બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા છે.જ્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય સાહિત્યકાર શ્રી શાહબુદ્દીન રાઠોડ, શ્રી ગફૂલભાઈ બિલખિયા, શ્રી એચ.એમ દેસાઈ ,શ્રી સુધીર જૈન, શ્રી યઝદી નૌશેરવાન કરંજિયા, શ્રી નારાયણ જોશી કરાય લ અને ડો. ગુરદીપ, સિંહને પદ્મશ્રી એવોર્ડ જાહેર થયો છે.

(11:05 pm IST)