Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

૧ વર્ષમાં પ રાજયો ગુમાવ્યા

હવે ભાજપની દિલ્હી-બિહારમાં અગ્નિપરીક્ષા

નવી દિલ્હી, તા.૨૪: ઝારખંડ ચૂંટણી ની મતગણતરી સોમવારે જેમ-જેમ પોતાના અંતિમ ચરણમાં પહોંચી રહી હતી, ભારતીય જનતા પાર્ટી ના હાથથી વધુ એક મહત્વપૂર્ણ રાજય સરકતું જઈ રહ્યું હતું. ઝારખંડમાં હારની સાથે જ બીજેપીના હાથમાંથી એક વર્ષમાં પાંચમું રાજય જતું રહ્યું છે. આ એક વર્ષની અંદર બીજેપીને મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્ત્।ીસગઢ અને મહારાષ્ટ્રની સત્ત્।ા પણ ગુમાવવી પડી છે. આંકડાઓ મુજબ બીજેપીએ ગત એક વર્ષમાં એક પણ મોટા રાજયમાં જીત નોંધાવી નથી.

ઝારખંડમાં ૨૦૧૪માં પહેલીવાર બીજેપીએ ૩૭ સીટો જીતીને સરકાર બનાવી હતી. સહયોગી આજસૂની સાથે તેમની પાસે સરળતાથી બહુમતનો જાદુઈ આંકડો આવી ગયો હોત. હવે ચૂંટણી હાર્યા બાદ મુખ્યમંત્રી રદ્યુવર દાસે રાજીનામું આપતાં હારનું ઠીકરું પોતાના માથે જ ફોડી દીધું છે. તેઓએ કહ્યું છે કે આ પાર્ટીની હાર નથી, મારી હાર છે.

વર્ષ ૨૦૧૩માં ભારતીય જનતા પાર્ટીએ આ રાજયમાં પ્રચંડ જીત નોંધાવી હતી. વસુંધરા રાજેની આગેવાનીમાં પાર્ટીએ ૧૭૩ સીટો જીતીને રેકોર્ડ સર્જી દીધો હતો. આ રાજયમાં પાર્ટીનું ઐતિહાસિક પ્રદર્શન હતું. પરંતુ ૨૦૧૯ ડિસેમ્બરમાં જયારે રાજસ્થાનની ચૂંટણી થઈ તો બીજેપીએ રાજયની સત્ત્।ા ગુમાવી દીધી. રાજકીય જાણકારો મુજબ રાજયમાં બીજેપીની હારની પાછળ વસુંધરા સરકારનું અક્કડપણું હતું. વસુંધરા બાદ અશોક ગહલોત રાજયના મુખ્યમંત્રી બન્યા.

મધ્યપ્રદેશ

મધ્ય પ્રદેશમધ્ય પ્રદેશ રાજય બીજેપીનું ગઢ માનવામાં આવતું હતું. રાજયમાં લગભગ ૧૩ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેવા દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણની પણ ઓળખ એક સૌમ્ય નેતા તરીકે વિકસિત કરી. અને કદાચ એ જ કારણ છે કે ૧૫ વર્ષના શાસન છતાંય બીજેપીને સત્ત્।ાથી હટાવવામાં કોંગ્રેસને બહુ મહેનત કરવી પડી. મતગણતરીની અંતિમ ક્ષણો સુધી એ જાણવું મુશ્કેલ લાગી રહ્યું હતું કે રાજયમાં સરકાર કોણ બનાવશે. અંતમાં રાજયમાં કોંગ્રેસની સરકાર બની અને કમલનાથ મુખ્યમંત્રી બન્યા.

છત્ત્।સગઢ

છત્ત્।ીસગઢના ચૂંટણી પરિણામો હાલના વર્ષોની સૌથી મોટા ઉલટફેર તરીકે માનવામાં આવે છે. મતગણતરી પહેલા આવેલા મોટાભાગના એકિઝટ પોલ્સમાં જણાવવામાં આવ્યું હતું કે બીજેપી સત્ત્।ામાં ફરી એકવાર આવી રહી છે. પાર્ટીની પાસે મુખ્યમંત્રી રમન સિંહ તરીકે એક સૌમ્ય ચહેરો હતો અને તમામને વિશ્વાસ હતો કે તેઓ ફરી એકવાર મુખ્યમંત્રી બનશે. પરંતુ ચૂંટણી પરિણામોમાં ૯૦ સભ્યોની વિધાનસભામાં બીજેપીને માત્ર ૧૮ સીટોથી સંતોષ માનવો પડ્યો. કોંગ્રેસ પાર્ટીએ પ્રચંડ જીત મેળવી. સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવનારા નેતા ભૂપેશ બધેલ રાજયના મુખ્યમંત્રી બન્યા.

મહારાષ્ટ્ર

હાલમાં સંપન્ન થયેલી મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં ભલે બીજેપીના હાથમાંથી સરકાર સરકી ગઈ પરંતુ શિવસેનાની સાથે થયેલા ચૂંટણી પહેલાના ગઠબંધનમાં તેમને બહુમત મળ્યું હતું. પરંતુ ચૂંટણી બાદ શિવસેના મુખ્યમંત્રી પદની માંગને લઈ અડગ રહ્યું અને બીજેપી તરફથી તેના માટે શિવસેનાની માંગ નકારી દેવામાં આવી હતી. બીજી તરફ એનસીપી, કાઙ્ખંગ્રેસે શિવસેનાને મુખ્યમંત્રી પદ આપી દીધું એન આ રીતે વધુ એક મહત્વપૂર્ણ રાજય બીજેપીના હાથમાંથી સરકી ગયું.

દિલ્હી અને બિહારમાં અગ્નિપરીક્ષા

હવે બીજેપીની સોમ વધુ બે મહત્વપૂર્ણ રાજયોમાં ચૂંટણીની અગ્નિપરીક્ષા છે. પહેલા દિલ્હી અને પછી બિહાર. દિલ્હીમાં ૨૦૧૫ આમ આદમી પાર્ટીએ વિપક્ષનો જાણે કે સફાયો જ કરી દીધો હતો. ૭૦ સભ્યોની વિધાનસભામાં આપે ૬૭ સીટો જીતીને બંને રાષ્ટ્રીય પાર્ટીઓ (બીજેપી-કોંગ્રેસ) માટે કોઈ સ્થાન છોડ્યું નહોતું. કોંગ્રેસ તો ખાતું પણ ખોલાવું શકયું નહોતું. અરવિંદ કેજરીવાલ લોકપ્રિય મુખ્યમંત્રી તરીકેની છાપ ઊભી કરવાના પ્રયાસમાં રહ્યા. તેમની સામે બીજેપી કઈ સ્ટ્રેટેજીની સાથે આવે છે તે જોવું રસપ્રદ રહેશે.

બિહારમાં ચૂંટણી ગણિત ગઈ વખતથી બિલકુલ ઉલટું થઈ ચૂકયું છે. ગઈ ચૂંટણીમાં બીજેપીને હરાવવા માટે બે જૂના વિરોધી આરજેડી અને જેડીયૂ એક થઈ ગયા હતા. આ ગઠબંધને બીજેપીને મોટી પછડાટ આપી હતી. પરંતુ બાદમાં નીતીશ કુમાર બીજેપીની સાથે આવી ગયા અને આ વખતે ચૂંટણી તેમના જ નેતૃત્વમાં લડવામાં આવશે. એવામાં સહયોગી પાર્ટી જેડીયૂની સાથે તાલમેલ બેસાડીને રાજયની સત્ત્।ામાં કાયમ રહેવું બીજેપીની પ્રાથમિકતામાં હશે. જોકે છેલ્લા કેટલાક સમયમાં પાર્ટીના સંબંધ સહયોગી પાર્ટીઓ સાથે આકરા રહ્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેના તેનું તાજું ઉદાહરણ છે.

(4:21 pm IST)