Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

મેરઠઃ સીટીઝનશીપ બીલના વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયેલાના પરીવારને મળતા રાહુલ-પ્રિયંકા

મેરઠઃ બિજનોર પછી હવે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા વાડ્રા અને સાંસદ રાહુલ ગાંધી મેરઠ પહોંચી રહયા છે. તેઓ અહી નાગરીકતા સુધારો કાયદા સામેની હિંસામાં માર્યા ગયેલા લોકોના પરીવારજનોને આશ્વાસન આપી રહયા છે.

તેઓ દેખીતી રીતે અહીં હિંસામાં માર્યા ગયેલા જાહીર, ગુલઝાર ઇબ્રાહીમ, આસીફ અને આસીફના પરીવારના સભ્યોને મળી શકે છે.

અગાઉ એવી માહીતી હતી કે પોલીસ-વહીવટ તંત્ર મેરઠ સરહદ પર મોહીઉદીનપુર નજીક રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાને રોકશે.

જો ખારખૌડાથી આવે તો ત્યાં રોકવાની પણ યોજના હતી. પરંતુ હવે તેમને રોકવામાં આવશે નહી. ખતના રોડ પરના ટયુબવેલ રોડ પર આ મુલાકાતો થશે.

(3:39 pm IST)