Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

સીબીઆઇ ઓફિસમાં સીબીઆઇના દરોડા

દિલ્હી : દેશની સર્વોચ્ચ જાસુસી સંસ્થા સીબીઆઇની ઓફિસમાં આજે સીબીઆઇના ઓફિસરોએ દરોડા પાડતા સમગ્ર દેશમાં ભારે ચકચાર જાગી છે. આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને રજા પર મોકલી દેવાયા પછી બંન્ને પાસેથી કામકાજ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. દરમિયાન આજે આ બંનેની ઓફિસો ૧૦ અને ૧૧માં માળે સીલ કરી દરોડાનો દોર ચાલુ કરાતા મોટો ખળભળાટ મચી ગયો છે. અત્યારે નાગેશ્વર રાવને વચગાળાના સીબીઆઇના ડાયરેકટર બનાવાયા  છે ત્યારે અન્ય બે સીબીઆઇના અધિકારીઓ મનીષ સિંહા અને એ.કે. શર્માને પણ દુર કરવામાં આવ્યા છે આ બંન્ને અધિકારીઓ શા માટે હટાવાયા તે જાણવા મળતુ નથી. ત્યારે આલોક વર્માએ કરેલ રીટ પીટીશન ઉપર સુપ્રિમ કોર્ટમાં ર૬મી સુનાવણી હાથ ધરાશે.

(11:40 am IST)