Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ચિન્મયાનંદ કેસ : પીડિતાની પુછપરછ કરવા માટે તૈયારી

પીડિતા દ્વારા આગોતરા જામીન અરજી દાખલ : ચિન્મયાનંદ અને વિદ્યાર્થીની વચ્ચે ૨૦૦ વખત વાતચીત

શાહજહાપુર,તા. ૨૪ : પૂર્વ કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી સ્વામી ચિન્મયાનંદ ઉપર રેપનો આક્ષેપ કરનાર વિદ્યાર્થીનીની સીટ દ્વારા પુછપરછ કરવાની તૈયારી ચાલી રહી છે. આ વિદ્યાર્થીનીએ શાહજહાંપુરની એક કોર્ટમાં આજે સવારે વચગાળાની જામીન અરજી દાખલ કરી હતી જેના ઉપર સુનાવણી થઇ ચુકી છે. વિદ્યાર્થીનીની પુછપરછ કરવાની તૈયારી સીટ દ્વારા કરી લેવામાં આવી છે.  એસઆઈટી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.  તપાસમાં એવી વિગત ખુલીને સપાટી પર આવી છે કે પિડિત વિદ્યાર્થીનીએ ચિનમ્યાનંદ સ્વામીને ૨૦૦ વખત ફોન કર્યા હતા.

                   આ સમાચાર સપાટી પર આવી ગયા બાદ રેપ પિડિતાની પણ મુશ્કેલી વધી શકે છે. તપાસમાં આ બાબત નિકળીને આવી છે કે વિદ્યાર્થીનિ અને ચિન્મયાનંદ વચ્ચે જાન્યુઆરી ૨૦૧૯થી લઇને ઓગષ્ટ વચ્ચે ૨૦૦ વખત ફોન પર વાતચીત થઇ ચુકી છે. ગયા શુક્રવારના દિવસે  પિડિતા તરફથી વિડિયો જારી કરવામાં આવ્યા બાદથી તેમની ધરપકડ કરવાની માંગ ઉઠી રહી હતી.ે એસઆઇટી દ્વારા પહેલા તેમના તમામ મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા  હતા.

                    ત્યારબાદ હવે ધરપકડ કરી લેવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જેલ મોકલી દેવામાં આવેલા પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વામી ચિન્મયાનંદ પર દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગનો આક્ષેપ કરનાર લોની વિદ્યાર્થીનીની પણ ટૂંકમાં ધરપકડ કરવામાં આવી શકે છે. આ મામલામાં તપાસ કરી રહેલી એસઆઈટીના સુત્રોએ આ અંગેની માહિતી આપી છે. પીડિતા ઉપર પણ બળજબરીપૂર્વક નાણા વસુલ કરવાના કાવતરામાં સામેલ હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. સીટ દ્વારા દરેક જરૂરી ડિજિટલ પુરાવા એકત્રિત કર્યા છે. ઘટના સ્થળ, પીડિતાના આવાસ અને હોસ્ટેલમાંથી પણ પુરાવા એકત્રિત કરાયા છે. ગાડીઓની મુવમેન્ટ અને અન્ય વિગતો એકત્રિત કરાઈ છે.

(7:50 pm IST)