Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

આસામમાં રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટના ડરથી આશરે 400 મુસાફરો ભાગી ગયા

ગુવાહાટીથી લગભગ 60 કિલોમીટર દૂર સ્થિત જગી રોડ સ્ટેશનનો વીડિયો વાયરલ

દિસપુરઃ કોરોનાની બીજી લહેર ઉપર કાબુ મેળવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો તમામ મોરચે લડી રહી છે. ત્યારે લોકોમાં હજી પણ બેદરકારી જોવા મળી રહી છે. આવી જ એક ઘટના તાજેતરમાં આસામ રાજ્યના ગુવાહાટીમાં જોવા મળી હતી. ગુવાહાટીથી લગભગ 60 કિલોમીટર દૂર સ્થિત જગી રોડ સ્ટેશનનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં કોવિડ ટેસ્ટથી બચવા માટે લગભગ 400 લોકો ભાગી છૂટ્યા હતા. આ વીડિયો ભારે વાયરલથયો હતો.

 તાજેતરનો મામલો પૂર્વોત્તરના આસામ રાજ્યનો છે. મામલો ગુવાહાટીથી લગભગ 60 કિલોમીટર દૂર સ્થિત જગી રોડ સ્ટેશનનો છે. અહીં કોવિડ ટેસ્ટથી બચવા માટે ઓછામાં ઓછા 400 લોકો ભાગી છૂટ્યા અને કોરોના માટે અનિવાર્ય તપાસમાં હિસ્સો ન લીધો. હવે આ મામલાનો વીડિયો સોશિયલ મીડિયાપર વાયરલથઈ રહ્યો છે.

મહિલાઓ અને બાળકો સહિત મોટાભાગના પ્રવાસી શ્રમિકોએ કન્યાકુમારી-ડિબ્રૂગઢ વિવેક એક્સપ્રેસથી મુસાફરી કરી હતી. આ ટ્રેન તમિલનાડુના કન્યાકુમારીથી રવાના થઈ હતી અને પાંચ દિવસમાં કેરળ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના રસ્તે આસામ પહોંચી.

 

ધનીય છે કે, તમામ ટ્રેન મુસાફરોને આગમન પર કોવિડ તપાસ અનિવાર્ય કરી દેવામાં આવી છે. આવો જ એક મામલો ગત મહિને બિહારમા; સામે આવ્યો હતો. ડઝનબંધ લોકો, કેટલાક નાના બાળકોની સાથે કોવિડ પરીક્ષણના ડરથી બક્સરના એક રેલવે સ્ટેશનથી પરત જતા રહ્યા હતા.

આસામમાં રવિવારે લગભગ 6000 નવા કોવિડ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સંક્રમણનો કુલ આંકડો 3.65 લાખને પાર થઈ ગયો છે. 24 કલાકમાં કોરોનાથી લગભગ 80 મોત પણ થયા છે. ત્યારબાદ કુલ મૃત્યુની સંખ્યા 2667 સુધી પહોંચી ગઈ છે.

(11:23 am IST)