News of Wednesday, 24th April 2024
રાજકોટ તા. ૨૪ : ડો. તેજસ પટેલને રાષ્ટ્રપતિના હસ્તે પ્રતિષ્ઠિત પદ્મભૂષણ એવોર્ડ એનાયત થયો છે. ટ્રાન્સ રેડીયલ કાર્ડીયાક ઇન્ટરવેન્શન અને ડીસ્ટન્ટ રેડીયલ ઇન્ટરવેન્શનમાં તેમની કામગીરીએ કાર્ડીયાક સારવારમાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે. ૫૦૦૦થી વધારે કાર્ડીયોલોજીસ્ટોને ટ્રેનીંગ આપીને તેમણે વિશ્વભરના દર્દીઓને લાભ અપાવ્યો છે.
ગુજરાતનું ગૌરવ અને દેશના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડોકટર તેજસ પટેલને આ વર્ષે દેશના ત્રીજા મોટા સન્માન પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડો. તેજસ પટેલે કાર્ડિયોલોજીસ્ટની નવી જનરેશનને તૈયાર કરવામાં સિંહફાળો આપ્યો છે અને દેશ-વિદેશમાં અનેક રિસર્ચ પેપર રજૂ કરી ભારતનું ગૌરવ અપાવી ચુક્યા છે.
ગુજરાતનું ગૌરવ અને દેશના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડોકટર તેજસ પટેલને કેન્દ્ર સરકાર પદ્મભૂષણથી પુરસ્કારથી નવાજ્યા છે. ડોક્ટર તેજસ પટેલે મેડિકલ જગતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ડોક્ટર તેજસ પટેલે કાર્ડિયોલોજિસ્ટની નવી જનરેશનને તૈયાર કરવામાં પોતાનો સિંહફાળો આપ્યો છે. દેશ-વિદેશમાં રિસર્ચ પેપર રજૂ કરીને તેમણે ભારતનું ગૌરવ વધાર્યું છે. પદ્મભૂષણના સન્માન પર ખુશી વ્યક્ત કરતા ડોક્ટર તેજસ પટેલે કહ્યું કે મેં મારા દર્દીઓને છેતર્યા નથી અને હું જે શીખ્યો એ બીજાને શીખવ્યાનો આનંદ છે. સરકાર તરફથી સન્માન મણતા ગૌરવની લાગણી અનુભવું છું.
પદ્મશ્રી ડો તેજસ પટેલે જણાવ્યુ કે એવોર્ડથી સન્માનિત થતા આનંદ અને સંતોષની ચરમસીમાનો અનુભવ થઈ રહ્યો છે. ભારત સરકારે ૩૦ વર્ષમાં કરેલા કામની પ્રશંસા કરી છે. અંગત જીવનમાં આ એક મોટી ઉપલબ્ધિ છે. આ એવોર્ડ દરેકનું સ્વપ્ન છે. હું ભારત સરકારનો આભારી છું. દર્દીઓ,સંશોધન અથવા અન્ય લોકો માટે મેં કરેલી તાલીમ માટે મને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
પદ્મશ્રી ડો તેજસ પટેલે કહ્યુᅠહું એક સામાન્ય વ્યક્તિ છું, હું માનતો નથી કે મેં કંઈ અસાધારણ કર્યું છે. મેં પ્રમાણિકતા સાથે કામ કર્યું છે. હું જે કંઈ જાણતો હતો તે જ્ઞાન ફેલાવવાનો પ્રયત્ન કર્યો. છેલ્લા ૧૭ વર્ષમાં મેં ૫૦૦૦ ડોક્ટરોને તાલીમ આપી છે, જે સંતોષની વાત છે.
ડો. તેજસ પટેલ વિશ્વ કક્ષાએ નામાંકિત છે અને ટ્રાન્સરેડિયલ એક્સેસ ટેકનિકના પ્રણેતા છે અને તેમણે પોતાની ૨૫ વર્ષોની કારકિર્દી દરમિયાન આશરે ૫૦૦૦ થી પણ વધારે ફીઝીશ્યનોને તાલીમ આપી છે.
ડો. તેજસ પટેલે રોબોટિક પદ્ધતિની મદદ દ્વારા રાઇટ ડોર્સલ ટ્રાન્સરેડીયલ એક્સેસ દ્વારા હોસ્પિટલનું પ્રથમ સ્ટેન્ટિંગ કર્યું હતું. પોતાના કેન્દ્ર ખાતે વાસ્ક્યુલર રોબોટિક્સ ઇન્સ્ટોલેશનના ૩ અઠવાડીયામાં ડો.તેજસ પટેલે ડો. સંજય શાહ સાથે મળીને એક્યુટ માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન (એ.એમ.આઇ.) અને ક્રોનિક ટોટલ ઓક્લુઝન (સી.ટી.ઓ.) વાળા દર્દીઓ જેવા જટિલ ૫૦ થી પણ વધારે કેસોમાં કોરોનરી એન્જીયોપ્લાસ્ટી/સ્ટેન્ટિંગ કર્યું છે.
ભારતમાં ગુજરાત, અમદાવાદની એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યુટ અત્યાધુનિક કાર્ડિયોલોજી કેન્દ્ર છે અને હવે તે ભારતના અને સમગ્ર વિશ્વના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ્સને રોબોટિક આસિસ્ટેડ પર્ક્યુટેનીયસ કોરોનરી ઇન્ટરવેન્શન્સ (પી.સી.આઇ.) ની તાલીમ આપવા માટેનું યુ.એસ.એ. બહારનું પ્રથમ ‘ગ્લોબલ સેન્ટર ઓફ એક્સેલેન્સ' બન્યું છે.
ડો. તેજસ પટેલ હંમેશથી જ એક દુરંદેશીભર્યા તબીબ રહ્યા છે અને હૃદય રોગોની વાત છે ત્યાં સુધી તેઓ હંમેશા જાણે કાયમ આરોગ્યલક્ષી કાળજીને નવીનત્તમ રાખવા માટે સદાય સતર્ક હોય છે. તેઓ માને છે કે આ ટેકનોલોજી કોરોનરી આર્ટરી ડિસીઝની સરવાર બાબતે ભારતને આગલી હરોળમાં મુકી આપશે. તેમને લાગે છે કે ભારતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કોરોનરી આર્ટરી ડિસીઝના દર્દિઓની સંખ્યામાં થઈ રહેલા ચિંતાજનક વધારાને પહોંચી વળવા માટે સર્વશ્રેષ્ટ ટેકનોલોજીની તાતી જરૂર છે. રોબોટિક્સની સહાયથી સુદૂરના સ્થળો પર પણ સ્ટેન્ટના દર્દીઓને ટેલી-સ્ટેન્ટિંગ જેવી ટેકનોલોજી રોબોટિક્સ દ્વારા ઉપલબ્ધ થઈ શકશે, તબીબો માટે નક્કર તબીબી નિર્ણયો કરી શકે તે માટે ઇન-બિલ્ટ આર્ટિફિસિયલ ઇન્ટેલીજંન્સ (એ. આઇ.), અને સીનીયર કાર્ડિયોલોજીસ્ટ્સ યુવા કાર્ડિયોલોજીસ્ટસને તાલીમબદ્ધ કરી શકશે. આ તમામ પ્રગતિઓની આપણા રાષ્ટ્રમાં આરોગ્યલક્ષી સેવાઓ પર ખુબ અસરકારક પુરવાર થશે.
ભારતની ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીના ઇતિહાસમાં ભારતના પનોતા પુત્ર અને વિશ્વ વિખ્યાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ એવા અમદાવાદની એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યુટના ચેરમેન અને ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ડો. તેજસ પટેલે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યુટ ખાતે વ્યાવસાયિક ધોરણે સૌ પ્રથમ કોરપાથ જી.આર.એક્સ.(યુ.એસ. એફ.ડી.એ. માન્ય)- લગાવવાની જાહેરાત કરી છે. યુનાઇટેડ સ્ટેટ્સની બહારની આ એકમાત્ર અને પ્રથમ વેસ્ક્યુલર રોબોટિક સિસ્ટમ છે.